SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ એ જ રીતે. આપણા મનમાં જે જે સડાનો ભાગ હોય, જે બહારથી આવેલો હોય – પછી ભલે તે વ્યસનોથી આવેલો હોય, સંસર્ગથી આવેલો હોય, આપમેળે બગડી ગયેલો હોય – તેને કાપીને ફેંકી દેવો જોઈએ. - મનના મુખ્ય કેન્દ્રને વિશુદ્ધ રાખવા માટે આપણે જેની જરૂર છે–એનું નામ છે સત્સંગ. આ સત્સંગ એટલે શું ? સતુ એટલે આત્મા અને સંગ એટલે સાનિધ્ય. આત્માના કે આત્માના ગુણના સાનિધ્યમાં રમવું કે રહેવું એ સત્સંગ. તમે જ્યાં જશો ત્યાં ચા ધરવામાં આવશે, કૉફી ધરવામાં આવશે, બીડી કે સિગારેટ અપાશે અને વધારે “સુધરેલા' હશે તો પેલી “પ્યાલીઓ' ધરશે. પરંત, આત્માની વાત કે જ્ઞાનનો બોધ ધરનારો તમારી પાસે કોણ છે ? - સાચું અને રોકડું વચન તમને કોણ સંભળાવશે ? નોકરોની કોઈની તાકાત નથી કે તમને કહે, “શેઠ, તમે બધી બાબતમાં સારા છો, પણ તમે અમુક બાબતમાં ઠીક નથી.” કારણ કે એ એમ કહેવા જાય તો એનો રોટલો તૂટી જાય. એટલે એને તો થવાનું કે “શેઠ ભલે પડે કૂવામાં, આપણે શું કામ છે ? આપણે તો અર્થથી, ધનથી અને લાભથી કામ છે.” એટલે તો આજે મનનાં દવાખાનાં ખોલવાની જરૂર છે. જગતમાં આજે તનના રોગીઓ કરતાં મનના રોગીઓ વધારે છે. ઘેર ઘેર ને ઠેર ઠેર આજે મનના રોગ લાગુ પડ્યા છે. - હવે તો ડૉક્ટરો પણ એ જ કહે છે કે મનના રોગોમાંથી જ ઘણાખરા તનના રોગો ઊભા થાય છે. તાવ આવવો અને માથું દુખવું એ પેટની કબજિયાતથી થાય. જ્યાં ક્રોધ હોય, વૈરભાવ, ઈર્ષા, ચિંતા હોય ત્યાં પાચનશક્તિ મંદ થાય છે. અપચો વધે છે. બાકીના રોગો માનસિક આઘાતમાંથી ઉત્પન્ન થતા હોય છે. આ માટે શિષ્ય ચાર વાત પૂછે છે : વૈદ્ધો દિં વ: ? મનની અંદર બેઠેલા રોગ દૂર કર્યા વિના ચાલે એમ નથી એવું લાગ્યું, એટલે ગુરુ પાસે આવીને શિષ્ય હૃદય ખોલી નાખ્યું. કયા રોગની દવા આપવાની છે તે તો હૃદય ખોલવામાં આવે તો જ ખબર પડે. આપણામાં મદ (અભિમાન) હોય તોપણ કહીએ કે મારા જેવો નમ્ર કોઈ નથી. લોભિયા હોઈએ તોપણ બે-પાંચ ઠેકાણે આપેલા રૂપિયા ગણાવ્યા કરીએ. માણસમાં ક્રોધ પડેલો હોય, લાલચોળ થઈ જતો હોય તોય ક્ષમાનો દેખાવ કરે. માત્ર બહારના દેખાવથી શું વળે ? ડૉક્ટરો પાસે જઈએ છીએ ત્યારે આપણે તનનો રોગ છુપાવતા નથી. ૩૮ * જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy