SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યારે ઈશ્વરને નામસ્મરણનો અભ્યાસ વધવાને બદલે, પોતાના નામસ્મરણનો અભ્યાસ વધી ગયો છે. તીર્થમાં જનારો માનવ પ્રભુના નામને બદલે પોતાના નામની તકતી લગાડે છે; તે પોતાનું જ નામ મોટું બનાવવા મથે છે. જે નામ ભૂંસાઈ જવાનું છે, જે નામને પોતાના વંશજો પણ યાદ કરી શકવાના નથી, એ નામ માટેનો આટલો બધો મોહ શા માટે ? વંશજ હોવા છતાં કહે, આપણે આપણી દશમી પેઢીના પૂર્વજનું નામ જાણીએ છીએ ? એટલે જ સંતો કહે છે કે ભૌતિક નામ પાછળનો મોહ ખોટો છે. સંતો પોતાના નામની તો ઠીક, પણ પોતાના સ્વત્વની પણ વિસ્મૃતિ માગે છે, “ભગવાન મને એવી શક્તિ આપો કે હું, હું ન રહું, તું, તું ન રહે, ને હું તેમાં સમાઈ જાઉં.” બાળક પોતાની મા પાસે જાય ત્યારે એને પોતાનું નામ કહેવાની જરૂર પડતી નથી. એ તો દોડીને સીધું ગોદમાં જ સમાઈ જાય છે. આપણે પણ, પ્રભુ નામસ્મરણનો શબ્દાનંદ આસ્વાદતા રહીને પરમાનંદ પ્રાપ્તિ માટે, ભૌતિક નામને ભૂલતા જવાનું છે. શબ્દાનંદમાંથી જ શ્રદ્ધાનંદમાં જવાય. પ્રભુનું સતત નામસ્મરણ માનવીના હૈયામાં શ્રદ્ધાનો સુંદર દીવો પેટાવે છે. આ શ્રદ્ધાનો દીવો હતાશાનાં અંધારા ઉલેચે છે. માનવીને તમામ પ્રકારના ભયમાંથી મુક્ત કરે છે, અનુભવાનંદની દિશામાં દોરી જાય છે. શ્રદ્ધાની પાયા ઉપર જ અનુભવની ઇમારત રચી શકશે. શ્રદ્ધાની જેટલી મજબૂતી; અનુભવની એટલી પ્રતીતિ. અનુભવન ભાવનાનો વિષય છે, ભાષાનો નથી. અનુભવની વાત કોઈને કહી શકાતી નથી: મુખ પરની અનોખી આભાથી જ અનુભવની વાત વ્યક્ત થઈ જાય છે. અનુભવના આનંદથી જ સંતો મસ્ત હોય છે. એમની પાસે કપડાં નથી, કાલે શું ખાશે અને ક્યાં ખાશે, એની ખબર નથી, છતાં એમની શ્રદ્ધા અનોખી હોય છે, કારણ એમને જીવનમાં જીવનની શ્રદ્ધા છે. આ શ્રદ્ધાની સાર્થકતાનો એમને સતત અનુભવ છે, ને તેથી જ તે તેને અનુભવાનંદમાં પલટાવે છે. મારા એક મિત્રની વાત મને યાદ આવે છે. જીવન-માંગલ્ય : ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy