SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ફરીને પાછી આવી જાય છે. એના forms – આકાર જુદા છે, પ્રવાહ એક છે. એ પ્રવાહને પિછાનવો એ જ જીવનનું રહસ્ય છે. લોકો આ રહસ્યને જોતા નથી. તમે ગમે તે વ્યવસાય કરો; પછી એ પૂજાનો હોય કે પટાવાળાનો હોય, પણ તમારા વ્યવસાય પ્રત્યે તમારી નિષ્ઠા એ બહુ મહત્ત્વની વાત છે. વણકરનો ધંધો કરવા છતાં કબીરને એમ નથી લાગ્યું કે હું વણકર છું એટલે હલકો છું. એ તો તાણા અને વાણાની સાથે જીવનને સરખાવતા જ ગયા, વણતા જ ગયા અને ભગવાનનું ભજન કરતા જ ગયા. પોતાના વ્યવસાયને હલકો નહિ ગણતાં વ્યવસાયમાં આવતી વંચનાને હલકી ગણો. આ તત્ત્વ ધ્યાનમાં રાખીને માણસ જીવનની ચર્ચા કરે તો એનાં પુરુષાર્થ અને પ્રાર્થના એ બંનેમાં સંવાદિતા આવી જાય. સવારના ઊઠીને પ્રાર્થના કરવાની. કઈ પ્રાર્થના ? પ્રાર્થનામાં એ કે બુદ્ધિ સુબુદ્ધિ બનો. જે જે વસ્તુ મારી સામે આવે એના ઉપર હું સુબુદ્ધિનો પ્રકાશ ધરું અને સુબુદ્ધિના પ્રકાશમાં જ વસ્તુને ગ્રહણ કરું. પ્રાર્થના એ સવારનો નાસ્તો છે, અને રાતના સૂતાં પહેલાં લેવા લાયક દૂધનો પ્યાલો છે. ઘણાં મોટાં ઘરોમાં છોકરાને ઉઠાડીને કહેવાતું હોય છે કે, બાબા, દૂધ પી લે બેટા. રાતના દસ વાગ્યા હોય તો પણ સૂવા જતાં પહેલાં પૂછે : “તેં દૂધ પીધું કે ?” પ્રાર્થના આવો જ કોઈક પ્યાલો છે. માણસ સવારના સુંદર વિચારો અને દઢ સંકલ્પો સાથે ઊઠે અને રાતના સૂવા જાય ત્યારે આખા દિવસમાં જેને જેને મળ્યો એ બધાની સાથે કેવો વ્યવહાર હતો, કોને માટે ખરાબ બોલ્યો, કોને માટે અતિશયોક્તિ કરી, એની આલોચના કરી, ફરી એવું ન કરવાના વિચાર સાથે પોઢે. આજે સમાજમાં ખોટી અફવાઓ અને નકામી નિદાઓ, ન બનેલી વાતમાં અને બનતા બનાવોમાં સાચી-ખોટી સંમતિ અને ગંદી વાતો આ બધું કેમ બને છે ? કારણ કે પ્રાર્થનામાં આલોચનાનો અભાવ છે. મને લાગે છે કે લોકો પાસે પ્રાર્થનાના શબ્દો ઘણા છે, ભાવ થોડો છે. પૂર્ણના પગથારે * ૨૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy