SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ આમ ડૂબકી મારશો તો જીવનના ઉપયોગનો ખ્યાલ આવશે. અંતરમાં ડૂબકી મારવી, પોતાનું અવલોકન કરવું એ મોટી વાત છે. પુરાણની આ વાર્તા છે : હિરણ્યકશ્યપુ ભગવાનને મારવા નીકળ્યો. એની પાસે એક વરદાન હતું, એ ગમે તેને મારી શકે. હિરણ્યકશ્યપુ ત્રણે લોક ફરી આવ્યો પણ ભગવાન એને ન મળ્યા, થાકીને એણે મારવાનું માંડી વાળ્યું. ઘણાં વર્ષો પછી નારદ ભગવાનને પૂછયું : “તમે ત્યારે ક્યાં સંતાઈ ગયા હતા ?” ભગવાને કહ્યું : હું એની પાસે જ હતો, એના હૃદયમાં જ છુપાયો હતો. હિરણ્યકશ્યપુ બધે ગયો પણ પોતાના હૃદય તરફ નજર ન નાખી. એ ક્યારે નાખે ? વાંકો વળે તો ! પણ એ અભિમાની હતો. નમીને નજર અંદર નાખે તો એને ભગવાન દેખાય ને ?” નમ્ર બનો. થોડી થોડી વારે અંતરમાં અવલોકન કરો. નિરીક્ષણ કરો, તો તમને જ તમારામાં રહેલું પરમતત્ત્વ દેખાશે. લેવાનો આશીર્વાદ, દેવાનો પ્રેમ. ત્યાગ કરવાનો ક્રોધનો અને જાણવાનું સ્વતત્ત્વ. એ નહિ થાય તો પ્રવાસ નિષ્ફળ જશે. પૂર્ણના પગથારે જ ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy