SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ આજે ઘરઘરમાં જે ઝઘડા થાય છે, જે મનદુઃખ થાય છે તે નહિ થાય. કારણ કે સાધકનો વિવેક, સાધન માટે એને બાઝતાં અટકાવશે. આ વિવેકભાવ ઘરમાં જાગશે તો ઘરમાં કલહને બદલે શાન્તિ પ્રસરશે, દેશમાં આ ભાવ પ્રસરશે તો દેશમાં આત્તરદ્વેષ અને ઝઘડાને બદલે પ્રેમ અને શાન્તિ ફેલાશે, વિશ્વમાં આ વિચારધારા વહેતી થશે તો આ વિશ્વયુદ્ધ અને અણુબૉમ્બને બદલે, વિશ્વમૈત્રી અને વિશ્વશાન્તિ આવીને વસશે. અહીં બેઠેલાં ભાઈબહેનો આ વિચારને પૂરા ચિંતનથી સમજી જીવનમાં ઉતારશે તો એની અસર આખા ઘર પર થશે. તમારા ઘરનું વાતાવરણ આથી સારું થશે તો આવતી કાલે એનું અનુકરણ તમારા પડોશી કરશે. પડોશીની અસર આખા સમાજ પર થશે. પછી સમાજની અસર દેશ અને દેશની અસર આખા વિશ્વ પર થશે. અલબત્ત, આમ સારા વિચારોને પ્રસરતાં સમય જરૂર લાગે છે, પણ એ વિચારનો પ્રારંભ કરનારમાં શ્રદ્ધા હોય તો એ પ્રસર્યા વિના રહેતો નથી. આજે જગત પર જે સારા વિચારો છે તેની શરૂઆત પણ એકાદ વ્યક્તિથી જ થઈ હશે ને ? પછી એ વ્યક્તિના વિચારો સમષ્ટિમાં સંક્રાન્ત થયા અને તે આજે જગતની મૂડી બનીને રહ્યા તેમ આપણે પણ, આ વિચારને અમલમાં મૂકવાનો અને આત્મસાત્ કરવાનો પૂર્ણ શ્રદ્ધાથી પ્રયત્ન કરીશું તો એનું શુભ પરિણામ પણ જરૂર આવશે જ. આ વિચારો, જીવનમાં ઊતર્યા પછી માણસ સાધનનો અનુચર નહિ હોય પણ સ્વામી હશે. ત્યારે માણસ દેહને જ સર્વસ્વ નહિ માનતો હોય પણ આત્મસત્તાનો અનુભવ કરતો હશે. એ મરણથી ડરતો-ફરતો નહિ હોય પણ મૃત્યુને એકમાત્ર દીર્ઘ પ્રવાસ માનતો હશે અને એ પ્રવાસમાં કામ લાગે તેવા ભવના ભાતાને સાથે લેવાની તૈયારી આ જન્મમાં કરતો હશે. આવા માનવીનું સ્થાન કોઈ પણ યુગમાં અપૂર્વ જ હશે. ૧૮ * જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy