SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ભોગવો, પણ એનીય મર્યાદા છે. તમને ચા બહુ ભાવતી હોય એટલે તમને એક કપ ચા મળે તો તમને જરા મઝા આવે. પછી બે કપ ચા આવે, પછી પાંચ કપ આવે. પછી દશ કપ આવે, કોઈ કહે કે તમે પીએ જ જાઓ. પછી તમે હાથ જોડો. ત્યાં પેલો કહે કે જેટલા કપ પીઓ એટલી તમને હું ગીની આપતો જાઉં છું. તમારામાં બહુ જોર હોય તો તમે પંદર કપ અને વીસ કપ પી જાઓ. પછી એક મર્યાદા આવીને ઊભી રહે છે. પછી કહે કે હવે હું બે ગીની આપું. કદાચ ગીનીના માર્યા એક કપ વધારે પી જાઓ. પછી પેલો કહે કે હવે એક કપની ત્રણ ગીની આપું, તમે કેટલીક પીવાના ? જો એ માણસ ત્યાં મર્યાદા ન મૂકે તો ઊલટી થાય, માંદો પડે, બીમાર થાય અને સ્મશાન ભેગો થઈ જાય, ગીનીઓ એમની એમ રહી જાય ! તો, દુનિયાની આ બધી વસ્તુઓ આપણને બતાવે છે કે સંસારનાં આ વૈદકશાસ્ત્ર કહો, અર્થશાસ્ત્ર કહો કે પછી રાજશાસ્ત્ર કહો એ ગમે એવાં શક્તિશાળી હોય, તો પણ એ મર્યાદિત સુખ આપી શકે, પૂર્ણ અને શાશ્વત સુખ નહિ જ. અમર્યાદિત સુખ આપનાર, શાશ્વત સુખ આપનાર, જે સુખ આવ્યા પછી દુઃખનો સંભવ જ ન હોય એવું સુખ આપનાર જગતમાં કોઈ હોય તો એ આત્મદર્શન છે. આત્મદર્શન કોઈ દાવો નથી કરતું અને એ કોઈ દહાડો બજારમાં આવીને એમ પણ નથી કહેતું કે મારા વિના તમને નહિ ચાલે. પણ તમે જો શોધ કરશો તો તમને અંતે ખબર પડશે કે એના વિના આપણને ચાલે એમ નથી. એ બોલતું નથી; અને એટલા જ માટે ધર્મની ભાષા એ મૌનની ભાષા છે; એ મૌનમાં જ બધું કહે છે અને મૌનમાં જ એનો અનુભવ થાય છે. એટલા માટે ધર્મની બધી જ ક્રિયાઓ શાંતિપ્રધાન, યોગપ્રધાન, સંયમપ્રધાન, સમાધિપ્રધાન અને મૌનપ્રધાન છે. ધર્મક્રિયાઓમાં આ પાંચ વસ્તુઓ જેટલી આવતી જાય એટલું તમારામાં ઊંડાણ આવે અને આત્મદર્શનનો તમને અનુભવ થતો જાય. આત્મદર્શન-આત્મશાસ્ત્ર એ શાંતિપ્રધાન છે. આપણે જેવા એ માર્ગે ચાલીએ ત્યાં અંદરથી સંભળાય : ઠરી જાઓ. તમે ઠરશો ત્યારે જ તમારું જે છે તે તમને દેખાશે. ઠ૨વાનું જો કોઈ કહેતું હોય તો એક જ દર્શન કહે છે, અને તે આત્મદર્શન કહે છે. કારણ કે જ્યાં સુધી ઠરે નહિ ત્યાં સુધી પોતાની વસ્તુ પોતાને મળે નહિ. જ્યાં સુધી ચંચળતા છે, જ્યાં સુધી અસ્થિરતા છે, ત્યાં સુધી કોઈ પણ વસ્તુ દેખાય નહિ. ઠરે તે જ વરે. Jain Education International - ૨૩૨ * જીવન–માંગલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy