SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ કહે છે કે લોકોને સત્તાનો બરોબર ઉપયોગ કરતાં નથી આવડતો એટલે દુનિયામાં અર્થની અને બીજી બધીય ઉપાધિઓ ઊભી થઈ છે. પણ જો બરાબર શાસન કરતાં આવડે, બરાબર રાજ્ય ચલાવતાં આવડે અને લોકોને આપવાની વસ્તુઓની બરાબર વહેંચણી કરતાં આવડે તો બધાં જ દુઃખો દૂર થઈ જાય અને શાંતિ પ્રસરી જાય. એટલે રાજ્યનીતિ આપણને એમ બતાવવા પ્રયત્ન કરે છે કે જગતમાં જો કોઈ દર્શન બની શકે એમ હોય તો બીજું કોઈ નહિ, પણ હું જ બની શકું એમ છું. તેવી જ રીતે કામશાસ્ત્ર એમ કહે છે કે દુનિયામાં જેટલા વધારે ભોગ ભોગવી શકાય તેટલો માણસ સુખી ! અર્થ, શરીર, અને રાજ્ય આ બધાં પણ અંતે તો ભોગનાં સુંદર પ્રસાધનો પૂરાં પાડવાં માટે માત્ર સાધન જ છે ને ? સુખ તો ઉપભોગમાં છે. એટલે કામ પણ આ રીતે એક દર્શન બની બેઠું છે. અર્થ, વૈદક, રાજ્ય અને કામ આ બધા સંપ્રદાયો પોતાની જાતને દર્શન બનાવવા માટે તૈયાર બન્યા છે. એટલે જ્ઞાનીઓ આપણને બતાવે છે કે સંસારમાં આ બધાંય દર્શનો માનવજાતનાં દુઃખોનો ઉકેલ કરવા માટે નીકળી તો પડ્યા છે પણ એ બધાંય એવાં પંગુ છે કે એક વસ્તુ મળતાંની સાથે બીજી વસ્તુની તરત ઊણપ થાય છે. તે વસ્તુને કોણ પૂરી શકે એની એમને સમજણ જ નથી. માણસને પૈસો મળી જાય અને એનાથી જ જો જીવન સુખ અને શાંતિમય થઈ જતું હોય, તો દુનિયામાં મોટા મોટા ઉદ્યોગપતિઓ મંદિરમાં જઈ જઈને લાંબા થઈ નમસ્કાર કરે છે અને નવાં નવાં મંદિરો બાંધે છે, એ મંદિરો બાંધત જ નહિ, કારણ કે એ લોકો તો આજે કરોડપતિઓ છે જ. ધનથી પૂર્ણ સમૃદ્ધ છે. એને મંદિર બંધાવવાની શી જરૂર છે ? એ મંદિર બંધાવે છે, પ્રાર્થના કરે છે એ જ બતાવી આપે છે કે એના જીવનમાં હજી કોઈક એવી વસ્તુની ઊણપ છે જે ખટકે છે, ખૂટે છે. એટલે અર્થશાસ્ત્ર પણ પૂર્ણ સુખશાંતિ આપવા સમર્થ નથી. ― Jain Education International એવી જ રીતે રાજ્ય ચલાવનાર માણસો, એમને પાંચ-પાંચ વર્ષ સુધી સત્તાનો સંપૂર્ણ દોર આપવામાં આવે અને એમ કહેવામાં આવે કે કાયદાઓથી કે હુકમથી તમે જ કાંઈ કરવા માગો તે કરીને પણ સુખ લાવો. પણ એ બધુંય કરવાં છતાં પ્રજાની ઉપ૨ નિષ્ફળતાનો આરોપ મૂકીને જ્યારે એ નીકળી જાય છે ત્યારે આપણને એમ લાગે છે કે ખરેખર રાજ્યશાસ્ત્ર એ પણ દર્શન બનવા માટે યોગ્ય અને ઉચિત નથી. ભોગશાસ્ત્ર, જેમાં કહેવામાં આવે છે કે ઇન્દ્રિયો વડે તૃપ્તિ કરો, ભોગ પૂર્ણના પગથારે * ૨૩૧ - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy