SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ આકાશ પ્રતિ છે. એનું મસ્તક ઉન્નત છે. આથી મનુષ્યને કહેવું પડે કે નીચે જોઈને ચાલ. કારણ કે એ ઊંચે જોઈને ચાલે છે. એને ઉપર જવું છે. પ્રાણીઓમાં શ્રેષ્ઠતા મનુષ્યની છે કારણ કે મનુષ્યની દૃષ્ટિ પૂર્ણ પ્રત્યે છે. જે મનુષ્ય પાસે પૂર્ણની દૃષ્ટિ નથી, પૂર્ણતાની અભીપ્સા નથી એ મનુષ્ય પશુ સમાન છે. એક કવિએ કહ્યું છે કે આહાર, નિદ્રા, ભય અને મૈથુન મનુષ્યમાં અને પશુમાં સરખાં છે. પણ મનુષ્ય માટે ગૌરવપદ અને શ્રેષ્ઠ વાત તો એના દિલમાં જલતો ધર્મનો દીપક છે, જે ગાઢ અંધકારમાં પ્રકાશ આપે છે. કેટલાક કહે છે કે અમારો ધર્મ સારો છે. હું કહું છું, “ધર્મ એ દીપક છે અને જે દીપક પ્રકાશ પાથરે છે અને પથદર્શક બને છે તે સારો છે. એ અમારો કે તમારો નથી, આચરે તેનો છે. દીપક પ્રકાશ માટે છે. ઝઘડવા માટે નહિ. ઘણા તો દીપકના પ્રકાશનો ઉપયોગ કરવાને બદલે મારા-તારાના ઝઘડામાં જ એને પૂરો કરી નાખે છે.” મનુષ્ય પાસે આ દીપક છે. આ દીપક મનુષ્યને ખોટા રસ્તે જતાં રોકે છે. મનુષ્ય જ્યારે સારા રસ્તા ઉપર જાય છે ત્યારે એ દીપક એના મુખ ઉપર પ્રસન્નતાનો પ્રકાશ ચમકાવે છે, હૃદયમાં આનંદ અને અભયની ઉજ્વળતા પાથરે છે અને પ્રવૃત્તિમાં આફ્લાદ આણે છે. પણ જેવો મનુષ્ય ખરાબ રસ્તા ઉપર ચઢે કે તરત હૃદયમાં ભય ઊભો કરે છે, મુખ ઉપર ચિંતાનું આવરણ લાવે છે અને આનંદને ઉડાડી દે છે. પછી એ મનુષ્ય મુક્ત હાસ્ય પણ કરી શકતો નથી. આપણે સ્વાર્થનું જ કામ કર્યું જઈએ તો થાક લાગે પણ સેવાનું કામ કરીએ તો આનંદ અને પ્રસન્નતા પ્રાપ્ત થાય. તમારો પોતાનો અનુભવ તમને નથી કહેતો કે ઘણી વાર સ્વાર્થનું કામ કરતાં કરતાં માણસ જીવનથી પણ કંટાળી જાય છે ? જ્યારે પરમાર્થનું કામ માણસને એક પ્રકારનો સંતોષભર્યો આનંદ આપે છે. ધનપતિઓ થાકી જાય છે. એમની પાસે સોનું, ચાંદી, હીરા ખૂબ હોય છતાં પણ થાકી જાય છે કારણ કે એમની પ્રવૃત્તિના મૂળમાં માત્ર સ્વાર્થ જ છે. આનંદ તો પરમાર્થથી જ મળે. પરમાર્થમાં એક પ્રકારનો આરામ – recreation છે. પ્રાર્થના એ પરમાર્થ છે. એ કરીએ છીએ ત્યારે દેહભાવ ભૂલીને દિવ્યતા પ્રતિ પ્રયાણ કરીએ છીએ. પૂર્ણતા પ્રાપ્ત કરવી એ જ જીવનનું પરમ ધ્યેય છે. એક નાના શા બીજમાં કેવું મોટું વૃક્ષ સંતાયેલું છે ! કેરી ખાતાં ખાતાં ૨૨૬ * જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy