SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ જેને આત્માના અમૃતતત્ત્વનો અનુભવ નથી થયો તે ‘મરું મરું'નો જ વિચાર કરે છે. અનુભવ થયા પછી થાય કે મરે છે કોણ ? જેનો સ્વભાવ મરવાનો છે એ મરે છે. મરવાનો સ્વભાવ શરીરનો છે તો ભલે એ મરે. હું કેમ મરું ? જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી આ મરણ ચાલ્યા ક૨વાનાં. કર્મની આસક્તિથી ભવ ચાલુ રહે છે. એવો કોઈ જ આનંદ કે તહેવારનો દિવસ નથી કે સ્મશાનમાં કોઈને અગ્નિદાહ દેવાતો ન હોય, બધાને રજા હોય પણ સ્મશાન તો ચાલુ જ હોય છે. એ બતાવી આપે છે કે દેહને માટે મૃત્યુ અનિવાર્ય છે. આત્મા માટે તો આ મરણ એ માત્ર દેહનો પલટો છે, પછી ગભરામણ શી ? અફ્સોસ શો ? દોરી સળગવા માંડે ત્યારે દોરીનો બીજો છેડો પણ સળગવાનો જ, કારણ કે એ પણ દોરીનો એક ભાગ જ છે. આગ બીજે છેડે આવવાની જ છે. જે દિવસે જન્મ્યા તે દિવસે મરણ લાગુ પડ્યું જ છે. મ૨ણ જન્મથી જુદું નથી. આ સમજણ જાગે પછી ગમે તે ઘડીએ મૃત્યુ આવે; વાંધો નથી. કારણ કે સ્લેટ ચોખ્ખી છે. પરિસંવાદથી એવી આ અસીમ શ્રદ્ધા ઉત્પન્ન થાય કે હું આત્મા છું અને આત્મા વાસનાથી ઘેરાયેલો છે. એટલે સંસારમાં સુખ અને દુ:ખ છે. જો આત્મા વાસનાથી ઘેરાયેલો ન હોય તો દુઃખ છે જ નહિ. બીજો દુઃખ દઈ શકે છે કારણ કે આપણી વાસનાએ આપણને નબળા બનાવ્યા છે એટલે એનો એ લાભ લે છે. શરીરમાં પ્રાણપોષક તત્ત્વો ઓછાં થાય ત્યારે જ રોગની અસ૨ થાય. પણ કોષો (cells) સબળ હોય તો ચેપ ન લાગે. ટી.બી.ની હૉસ્પિટલમાં બાળકોને નથી લઈ જવાતાં કારણ કે ટી.બી.ના જંતુઓનો સામનો ક૨વા એમનાં શરીર તૈયાર નથી. તેવી જ રીતે ઘરડાંઓને રોગનો ઝપાટો જલદી લાગે કારણ કે તેમનાં શરીર નબળાં થયાં હોય છે. બીજા તને દુઃખ દેવામાં નિમિત્ત બને છે કારણ કે તારું પુણ્ય ઓછું છે. પુણ્યના પરમાણુઓ (cells) બળવાન હોય તો એની શું તાકાત છે કે તને તે કાંઈ કરી શકે ! આપણું પુણ્ય પરવાર્યું હોય ત્યારે તો એક સામાન્ય માણસ પણ આપણને હેરાન કરી શકે છે. માણસ શું, ઢેફું પણ નિમિત્ત બને. ઢેકું વાગે, લોહી વહે અને માણસ મરી જાય. આ એક નિમિત્ત છે. પણ મૂળ તો જીવવાનું પુણ્ય પૂરું થયું, આયુષ્ય સમાપ્ત થયું. ઘરમાં દીવો બળતો હોય, તેલ ખૂટ્યું હોય ત્યાં બારણું ખૂલે, હવા આવે અને દીવો ઓલવાઈ જાય. કોઈ કહે : બારણું ખોલ્યું એટલે ઓલવાયો; એમ Jain Education International ૨૧૨ ૨ જીવન-માંગલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy