SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની વિભૂતિને જાણનારો જીવ ઓળખવાળો જીવ સદા સત્, ચિત્ અને આનંદથી સભર છે, આપણામાં આ બધું ભરેલું છે. જ્ઞાન પણ અંદર ભરેલું છે, આનંદ પણ અંદર ભરેલો છે, અને શાશ્વતતા એટલે અનંતતા પણ અંદર ભરેલી છે. કોઈ પૂછે કે તું કોણ ? તારી ઓળખાણ તો આપ ! તો એમ ન કહેશો કે મારી ઓળખાણ આ દેહ, ફલાણું નામ, ફલાણું ગામ, ફલાણું રહેઠાણ. કોઈ એમ કહે કે ફલાણા ગામના અમે જૂનામાં જૂના રહેવાસી, અમારા બાપદાદા ત્યાં રહેતા હતા. પણ તું એ ગામમાં રહેતો જ નથી. તું તો ચાલ્યો જ આવ્યો છે. તારું વળી ગામ ક્યાં છે ? આ તો એક વિસામો છે. વિસામો ગામ નથી બની શકતો. આરામનું સ્થાન એ કદી ધ્યેય નથી બની શકતું અને મુકામ, જ્યાં રહેવું પડે એ મંજિલ નથી. માણસની મંજિલ તો આગળ છે. માણસ એ મંજિલને ભૂલી ગયો છે. કોઈ પ્રવાસી થાકીને ઊંઘી જાય છે. એ અર્ધનિદ્રા કે તંદ્રામાં હોય ત્યારે પૂછો કે ક્યાં છો ? તો કહે કે અહીં જ રહું છું. ક્યાં જવાનું છે એ ભૂલી જાય છે. આપણને કોઈ પૂછે કે તું કોણ ? તો આપણે એમ જ કહીએ કે સદા પ્રવાસી ગામ અને ઠામ વગરનો. ઠામ અને ગામમાં અટવાઈ ગયો તો ભગવાન કહે છે કે ‘સચ્ચિદાનંદ પૂર્ણન’ની પૂર્ણ અવસ્થા વિસરાઈ જશે. આ શ્લોકમાં કહ્યું કે તું સત્ છે. તને કોણ મારી શકે એમ ? તું મરવાનો જ નથી. તમે ગુજરાતીમાં કહો છો : ‘પાછો થયો.’ પાછો થયો એટલે મરી નથી ગયો, જીવતો છે. આ જન્મ લીધો એના પહેલાં પણ હતો અને મરી ગયો તો પણ છે. તો મરી કોણ ગયો ? આ દેહ મરી ગયો. ઘરડું કોણ થયું ? દેહ થયો. જન્મ કોનો થયો ? દેહનો થયો. યુવાન કોણ થયું ? દેહ થયો. અને બળી કોણ ગયું ? દેહ બળી ગયો. જન્મ, શૈશવ, વાર્ધક્ય અને આ બધું શું છે ? અવસ્થા છે. આ ચાર દેહની અવસ્થાઓ છે. ચેતનની અવસ્થા છે જ નહિ. ચેતન તો અવસ્થા વગરનો છે, સ્વસ્થ છે. એટલે જ મીરાંએ ગાયું : “હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.” મરણ - – હું ક્યાં ઘરડો થયો છું ? હું ક્યાં થાકી ગયો છું ? હું તો આત્મા છું. હું તો આયુના બંધન વિનાનો છું. જેને ઉંમર જ નથી; અવસ્થા જ નથી, કોઈ વર્ષો નથી એ હંસ છે, આત્મા ઉંમર વગરનો છે. ઉંમર કોને લાગે છે ? દેહને. ઉધેઈ જો લાગતી હોય તો લાકડાને લાગે છે, કાટ જો લાગતો હોય તો લોખંડને લાગે છે પણ અગ્નિને ઉધેઈ ન લાગે, સોનાને કાટ ન લાગે, એવી Jain Education International ૧૭૪ * જીવન-માંગલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy