SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ એ તો વિચાર કરો ! આખી જિંદગી સુધી આપણે આટલા આવ્યા, આટલા મળ્યા, એમાં ને એમાં જીવન પૂરું કર્યું. જો આધ્યાત્મિક ઓળખ ન થઈ, સ્વશ્રીની પહેચાન ન થઈ, હું કોણ છું એ માટેનું જ્ઞાન ન મળ્યું તો આ બધું તમે જે સંગ્રહ કરેલું છે એ બધું જ બીજાને માટે છે. તમે સંચય કરો છો, ગોઠવો છો, બીજાને આપીને ચાલ્યા જાઓ છો. પોતાને માટે શું છે એ વિચાર કરવાનો છે. અને એ વિચાર કરવાને માટે આપણે અહીં મળ્યા છીએ. તું કોણ છે ? તારું સ્વરૂપ શું છે ? થોડું તો પિછાન. આત્માની શ્રીમાં મગ્ન બનેલો અને સત્, ચિત્ અને આનંદથી પૂર્ણ એવો આત્મા તો આ જગતને પણ પૂર્ણ જ જુએ છે અને માને છે કે કર્મને વશ બની આખું જગત લીલામાં લાગેલું છે. તેમને જગતના માણસો કેવા દેખાય ? જેમ બાળકો સાગરના કિનારે જાય, નાનકડાં રેતીનાં ઘર બનાવે અને વહેંચી લે કે આ ઘર મારું, આ ઘર તારું. એમાં બાળકો આખી બપોરે કાઢી નાખે. ખાવાનું પણ ભૂલી જાય. રેતીના ઘરના માળ ગણ્યા કરે. એક કહે : બીજો માળ મેં બાંધ્યો. બીજો કહે : ત્રીજો માળ મેં બાંધ્યો. એમ કરતાં હોય ત્યાં એમની માં શોધતી શોધતી આવે. “અરે ! તમે જમ્યાં પણ નથી ? બાળકો કહે, “નહિ. અમે અમારું ઘર બાંધીએ છીએ, માળ બાંધીએ છીએ.” “હવે બાંધ્યા મકાન, ચાલો.” માં ખેંચીને લઈ જાય છે. આ રેતીના ઘર મૂકતાં પણ પેલાં બાળકોને દુઃખ થાય છે. એમને થાય કે મા ક્યાં વચમાં આવી ! પણ મા તો જમવા બોલાવવા આવી છે. પણ એમને ગમતું નથી. એમને તો પેલાં રેતીનાં ઘરોમાં, પહેલો માળ બાંધવામાં, બીજો માળ બાંધવામાં, આ ઘર મારું અને આ ઘર તારું એમ કરવામાં જે એક લહેજત પડે છે, એ જમવામાં એમને નથી પડતી. આ દશામાં જગતના લોકો પણ એવા જ દેખાય, “આ ઘર મારું અને આ ઘર તારું.’ લોકો એ માટે જ લડી રહ્યા છે. બાળકોમાં અને તમારામાં જો ફેર હોય તો એટલો જ કે બાળકો છોડી શકે છે. હસતાં હસતાં છોડી શકે છે – અને આગળ વધીને જરૂર પડે તો એકાદી લાત મારીને પોતે બાંધેલા રેતીના ઘરને પોતે ઉડાડી પણ મારે છે. પણ તમે બાંધેલાં ઘર છોડો છો તો ખરા, પણ રડતાં રડતાં છોડો છો. તમારાં જ બાંધેલા ઘરમાંથી જ્યારે તમારે નીકળવાનો વારો આવે ત્યારે કેવી દશા થાય છે ? આપણે પ્રવાસી જ છીએ. અહીંથી આગળ વધવાનું જ છે, પંથ જો કાપવાનો છે, તો શા માટે આસક્તિની અંદર લપટાઈ જવું ? ૧૭૨ * જીવન-માંગલ્યા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy