SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ઊભો રહી જાય છે, કારણ કે એને ખબર નથી કે એ કેટલા ધનનો વારસદાર છે ! એનો કોર્ચાધિપતિ પિતા રસ્તા પરના આવા હજારો માણસોને નભાવી શકે તેમ છે તેનો એને ખ્યાલ નથી. બાળક અજ્ઞાન છે. એનું આ અજ્ઞાન ભીખ મંગાવે છે. અને જ્યારે જ્ઞાન આવે છે, મોટો થાય છે, સમજ આવે છે ત્યારે વિચારે છે, “શું એ હું જ હતો જે બસ-સ્ટેન્ડ આગળ ઊભો રહીને ચોકલેટ માટે ચાર આના માગતો હતો ! હું ધનપતિનો પુત્ર ભિખારી ?” એ અજ્ઞાનમાં પડેલો હતો ત્યારે ચાર આના માટે ભિક્ષા માગતો પણ જ્યારે એને ખબર પડે છે કે હું કે તો મોટી સંપત્તિનો સ્વામી છું, શ્રીનો માલિક છું, ત્યારે એ માગતો તો નથી પરંતુ જે માગ્યું હોય એના ઉપર એને હસવું આવે છે, આ જ રીતે આ આત્મા જ્યાં સુધી આત્મશ્રીને ઓળખતો નથી ત્યાં સુધી વિષયો માટે યાચના કરે છે, કામના માટે ભીખ માગે છે, એક સામાન્ય સત્તા માટે – પાંચ વર્ષ સુધી સત્તાના કોઈક પણ આસને બેસી શકે એટલા ખાતર ચૂંટાવા માટે – વોટની ભીખ માગે છે ને એ માટે પામર થઈને અહીંથી તહીં ફર્યા કરે છે, કારણ કે આત્મશ્રીમાં શું સુખ છે અને જીવન જીવીને અંદરથી શું મેળવવાનું છે એની એને ખબર નથી. એટલે જીવન – આખું જીવન આ માગવામાં અને તે માગવામાં વેડફી નાખે છે. આત્મસુખના જ્ઞાનથી તો વાર્ધક્ય (વૃદ્ધાવસ્થા) પણ મધુર બને. માણસ પચાસ જીવે, સાઠ જીવે કે સિત્તેર જીવે, પણ અનુભવનું અમૃત લઈને જીવે એમાં સાર્થકતા છે. જેમ જેમ એ જીવન જીવતો જાય તેમ તેમ એની પાસે અનુભવની મીઠાશ આવતી જાય છે. એણે દુનિયા જોઈ છે, માણસો જોયા - છે, અનુભવોમાંથી ઘણું ઘણું મેળવવાનું મેળવ્યું છે, જેવી રીતે પાકી કેરી મીઠી હોય એમ વૃદ્ધ પુરુષ અને વૃદ્ધ સ્ત્રી મીઠાશથી ભરેલાં હોય, એમની વાણીમાં મીઠાશ હોય, એમના વર્તનમાં મીઠાશ હોય, એમના મોઢા ઉપર આવેલી રેખાઓમાં મીઠાશ હોય અને જોનારને એમ થાય કે એમની પાસે જઈએ તો કેવું સારું ! પણ હકીકતમાં આવું કેમ થતું નથી ? એનું કારણ એ જ છે કે જિંદગી શા માટે છે અને જિંદગીનો હેતુ શો છે એ પહેલેથી જાણ્યું નથી. એટલે છોકરાં જેમ પેલાં ડબલાં-ડબલીઓ ભેગાં કરતાં હોય છે એમ માણસો માત્ર થોડાક પૈસા, થોડીક સત્તા, થોડીક પદવી આ બધું ભેગું કરવામાં આયુષ્ય પૂરું કરી નાખે છે, દુનિયાનું આ પલટાતું દશ્ય તો જુઓ ! જ્યાં સુધી તમારી પાસે પૈસો હોય, સત્તા હોય, પ્રતિષ્ઠા હોય ત્યાં સુધી દુનિયા તમને પૂછ્યા કરે, પણ જેવી એ સત્તા ગઈ, જેવો એ પૈસો ગયો, જેવી એ પ્રતિષ્ઠા ગઈ એટલે દુનિયા કહે -- - - -- - - - - ૧૭૦ * જીવનમાંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy