SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પગ ચૂકી જવાતાં કે બૅલેન્સ ખોઈ બેસતાં અકસ્માત પેદા થાય. માટે જ સંતો કહે છે, “સતત અભ્યાસ કરો. ઉપયોગ રાખો. મનની વૃત્તિઓને સંકેલવાની ટેવ પાડો.” અત્યારે આત્મસ્મરણનો અભ્યાસ વધવાને બદલે, પોતાના નામસ્મરણનો અભ્યાસ વધી ગયો છે. તીર્થમાં જનારો માનવ પ્રભુના નામને બદલે પોતાના નામની તકતી લગાડે છે; તે પોતાનું જ નામ મોટું બનાવવા મથે છે. જે નામ ભૂંસાઈ જવાનું છે, જે નામને પોતાના વંશજો પણ યાદ કરી શકવાના નથી, એ નામ માટેનો આટલો બધો મોહ શા માટે ? વંશજ હોવા છતાં કહો, આપણે આપણા દશમી પેઢીના પૂર્વજનું નામ જાણીએ છીએ ? એટલે જ સંતો કહે છે કે ભૌતિક નામ પાછળનો મોહ ખોટો છે. સંતો પોતાના નામની તો ઠીક, પણ પોતાના સ્વત્વની પણ વિસ્મૃતિ માગે છે. એ કહે છે : જાય.'' तुम तुम न रहो, हम हम न रहे; कुछ ऐसा मिलना हो जाये । " “હું, હું ન રહું; તું, તું ન રહે; કોઈક એવું અવિભાજ્ય મિલન થઈ બાળક પોતાની મા પાસે જાય ત્યારે તેને પોતાનું નામ કહેવાની જરૂ૨ પડતી નથી. એ તો દોડીને સીધું ગોદમાં જ સમાઈ જાય છે. શબ્દાનંદમાંથી શ્રદ્ધાનંદમાં જવાય. પ્રભુનું સતત નામસ્મરણ માનવીના હૈયામાં શ્રદ્ધાનો સુંદર દીવો પ્રગટાવે છે. આ શ્રદ્ધાનો દીવો હતાશાનાં અંધારાં ઉલેચે છે. માનવીને તમામ પ્રકારના ભયમાંથી મુક્ત કરે છે, અનુભવાનંદની દિશામાં દોરી જાય છે. શ્રદ્ધાના પાયા ઉપર જ અનુભવની ઇમારત રચી શકાશે. શ્રદ્ધાની જેટલી મજબૂતી; અનુભવની એટલી પ્રતીતિ. અનુભવ ભાવનાનો વિષય છે, ભાષાનો નથી. અનુભવની વાત કોઈને કહી શકાતી નથી; મુખ પરની અનોખી આલાથી જ અનુભવની વાત વ્યક્ત થઈ જાય છે. અનુભવના આનંદથી જ સંતો મસ્ત હોય છે. કાલે શું ખાશે અને ક્યાં ખાશે, એની એમને ખબર નથી. છતાં એમની શ્રદ્ધા અનોખી હોય છે, કારણ કે એમને જીવનમાં જીવનની શ્રદ્ધા છે. Jain Education International પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૫૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy