SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ હોય તો આપણે સમજી શકીએ છીએ કે તે શરીરશાસ્ત્રનો નિષ્ણાત છે. તે જ રીતે સી.એ.ની ડિગ્રી ધરાવનારને તે હિસાબ અને નામાખાતાનો નિષ્ણાત છે એમ આપણી સમજમાં આવી જાય છે. ધાર્મિક શિક્ષણની બાબતમાં અભ્યાસની કોઈ આવી ડિગ્રી હોતી નથી, અને તેના શિક્ષકોની પસંદગીમાં પણ ખાસ ધોરણ જેવું હોતું નથી. આજનો યુગ ધાર્મિક અને વ્યાવહારિક શિક્ષણનો સમન્વય ક૨વાનો યુગ છે. થોડા વખત પહેલાં શિસ્તપાલન વિશે આપણા દેશના વિદ્યાર્થીઓમાં વધતી જતી બેદરકારી અને વણસતી પરિસ્થિતિ અંગે તપાસ કરવા માટે સરકારે એક કમિશન નીમ્યું હતું, અને તેમાં આપણા રાષ્ટ્રપતિ અને મુંબઈના માજી ગવર્નર શ્રીપ્રકાશ જેવા વિદ્વાન સભ્યો હતા. તેમણે સંશોધન કરી જે રિપોર્ટ તૈયાર કર્યો તેમાં મુખ્ય એ વાત હતી કે કૉલેજના વિદ્યાર્થીઓને વ્યવહારિક શિક્ષણની સાથોસાથ આધ્યાત્મિક શિક્ષણ પણ આપવું જરૂરનું છે. આમ થતાં વિદ્યાર્થીજગતમાં આજે જે અવ્યવસ્થા અને શિસ્તપાલનનો અનુભવ જોવામાં આવે છે, તે દૂર થશે. આમ આધ્યાત્મિક શિક્ષણની અગત્યતા રાષ્ટ્રપતિએ સ્વીકારી છે. પાઠશાળાઓમાં છોકરાઓને ધાર્મિક સૂત્રો શિખવાડવામાં આવે છે, અને તેથી બાળકોને જરૂરી ધાર્મિક શિક્ષણ મળી રહે છે, એમ સંતોષ માની લઈએ તે બરોબર નથી. હાઈસ્કૂલોનાં આગલાં ધોરણોમાં અભ્યાસ કરતા તેમજ કૉલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણ બાબતમાં સંતોષ આપી શકે તેવા શિક્ષકોની ત્યાં ખોટ છે, અને આ ઊણપને કારણે જ બાળકો ધાર્મિક અભ્યાસમાં ૨સ લઈ શકતાં નથી, કારણ કે એવા અભ્યાસથી તેમની ભૂખ સંતોષાતી નથી. મોટી ઉંમરનાં બાળકોને જ્યારે પાઠશાળામાં જવાનું કહેવામાં આવે છે ત્યારે તેઓ વ્યાવહારિક શિક્ષણના બોજાની વાત ૨જૂ કરે છે, અને એવે વખતે આપણે બાળકોની વાત સાથે સંમત થઈ જઈએ છીએ. વાસ્તવિક પરિસ્થિતિ તો એ છે કે આજનાં માબાપોને તેમના ધમાલિયા જીવનના કારણે, બાળકોને પાઠશાળામાં જવાનું કેમ ગમતું નથી, તેમજ ધાર્મિક અભ્યાસમાં તેમને કેમ રસ પડતો નથી, તેનાં કારણોમાં ઊંડા ઊતરવાની ફુરસદ જ નથી, અને તેથી તો પરિસ્થિતિ સુધરવાને બદલે વણસતી જવાની છે. આ માટે મારી પાસે અનેક વિદ્યાર્થીઓ ચર્ચા અર્થે આવે છે, અને તે પરથી મને લાગે છે કે આજના વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક શિક્ષણની ભૂખ તો છે જ, પરંતુ વર્તમાન ધાર્મિક શિક્ષણની પદ્ધતિ અને અવ્યવસ્થાના કા૨ણે તેઓની આવી ભૂખ સંતોષાતી નથી, અને તેથી જ તેઓને ધાર્મિક અભ્યાસમાં Jain Education International પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૩૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy