SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શોભા અને સુવાસ આપે. પસંદ કરાયેલા મિત્રો પૈકી કોઈક મિત્ર સડેલો છે, એવી ખબર પડે એટલે સડેલા ફૂલની જેમ તુરત જ તેને દૂર કરવો જોઈએ. ‘તુરત જ' શબ્દ ઉપર ભાર દઈને કહેવાનું કારણ માત્ર એટલું જ છે કે, એક સડેલું ફૂલ બીજાં દશ સારાં ફૂલને સડો લગાડે છે. પાનની ટોપલીમાં પડેલાં પાંચસો-હજાર પાન સાથે બંધાઈ ગયેલું એકાદ સડેલું પાન બીજી સવાર ઊગે તે પહેલાં પાંચ-પચીસ પાનને ચેપ લગાડે છે; તેમ એકાદ સડેલો મિત્ર કે એકાદ સડેલો યુવાન ઘણાને નષ્ટ કરી નાખે છે. સડેલા પાનને લીધે બીજાં પાન સડી જાય નહિ તે માટે તો પાનવાળા કાતર રાખે છે; અને જે પાન સડેલું હોય, ડાઘવાળું હોય તેને કાપી નાખે છે. એ કહે છે : પોણું હશે તો ચાલશે, કપાયેલું હશે તોય ચાલશે; પણ સડેલું પાન તો નહિ જ ચાલે. એ જ રીતે તમારા જીવનમાં જે ભાગ સડેલો હોય તેને કાઢી નાખતાં શીખો; નહિ તો તમારું સુંદર અને બગીચા જેવું મગજ ખરાબ વાતોથી ઉકરડા જેવું થઈ જશે. એટલે, પહેલી વાત એ છે કે મિત્રો સુંદર જોઈએ; કારણ કે મિત્રોથી જ તમે શોભવાના છો. તમારો મિત્ર જો ખરાબ કામ કરશે તો તેની સાથે તમે પણ વગોવાશો. લોકો તો એમ કહેશે કે, ‘ફલાણાની સાથે બેસતો હતો તે આવો થયો.’ વળી, ખરાબ કામ તમારો મિત્ર કરે અને બદનામી તમને મળે એવું પણ બને, માટે આજથી તમે નક્કી કરજો કે જે મિત્રો શરાબ કે બીડી પીતા હોય, જે લોકો જૂઠું બોલતા હોય, જે લોકો ગાળાગાળી કરતા હોય, જે લોકો ગંદીગંધાતી વાતો કરતા હોય, તેવા પ્રકારના સોબતીઓથી આઘા જ રહેજો, તેમને કહેજો કે અમારી મૈત્રી રાખવી હોય તો બધી બરબાદીઓથી દૂર રહેવું પડશે. જો બદીઓ હોય તો અમે નહિ અને અમે હોઈએ તો બદીઓ નહિ. બેમાંથી ગમે તે એકનો સ્વીકા૨ ક૨વાની તમને સંપૂર્ણ છૂટ છે. તમે જો આટલું ધ્યાન રાખશો તો તમારું મિત્રમંડળ સુંદર બનશે. એટલું સુંદ૨ કે તમે જે કાંઈ કરશો તે સુંદર હશે. પછી તમારા જીવનમાં એક એવું સુંદર સ્વપ્ન નિર્માઈ રહેશે, જે તમને મહાન બનવાની પ્રેરણા આપશે. આપણા સાંસ્કૃતિક ઇતિહાસનાં પાનાં ઉથલાવશો તો જણાશે કે સીતાજી, સુલસા, ગાર્ગી જેવી અનેક સ્ત્રીઓ આપણી સંસ્કૃતિનો આદર્શ ૨જૂ કરતું જીવન જીવી ગઈ છે. આજની યુવતીઓ એ વિભૂતિઓ જેવું જીવન જીવવાનો આદર્શ Jain Education International પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૨૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy