SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ દુનિયામાં જે મોટા માણસો બને છે તે કંઈ આકાશમાંથી એકદમ ઊતરી પડતા નથી; પણ નાનકડા માનવીઓમાંથી ધીમે ધીમે વિકાસ પામે છે, વિકાસમાંથી એમનું સર્જન થાય છે, અને તેમાંથી તે મહાન વ્યક્તિ બને છે. જીવન જીવવા માટે પણ એક દીક્ષાની જરૂર હોય છે. કલિકાલસર્વજ્ઞા ભગવાન હેમચંદ્રાચાર્યજી, જેમણે કુમારપાળને જીવન જીવવા તેમજ નીતિપૂર્વક રાજ્ય ચલાવવા માટેની જીવન-દીક્ષા આપી હતી, તેમણે એક સુભાષિતમાં કહ્યું છે કે, “સિંહણને એક જ પુત્ર હોય છે, છતાં એ નિર્ભય થઈને સૂઈ શકે છે; કારણ કે, એને ખબર છે કે એનો દીકરો જંગલમાં ઘૂમે છે અને તેથી એને કોઈ જાતનો ભય નથી. જ્યારે ગર્દભી (ગધેડી)ની આસપાસ દશ-દશ બચ્ચાં ફરતાં હોવા છતાં પણ, એને રેતીના થેલા ઉપાડવા પડે છે, અને ડફણાં ખાવાં પડે છે. દશ-દશ દીકરા હોવા છતાં એના જીવને નિરાંત નથી; જ્યારે સિંહણને એક જ સંતાન હોવા છતાં એને કાળજે ટાઢક છે. તમે આવા, સિંહણના સંતાન જેવા કેમ ન બનો ? તમે એવો વિચાર કેમ ન કરો કે ઘરમાં તમે એકલા હોવા છતાં પણ તમારે લીધે તમારી માતાને, તમારા પિતાને, તમારા બાંધવોને અને તમારા વડીલોને શાંતિ અને સુખ હોય. તમારા વિચાર, તમારી વાણી અને તમારું વર્તન જોઈ તમારાં માબાપ, તમારાં વડીલો અને તમારા સ્વજનો મનમાં ને મનમાં પ્રસન્ન થાય, એવા કેમ ન થવું ? “ તમને જોઈને એમને થાય કે કેવા સરસ સગુણો છે, કેવી સરસ અને મધુર વાણી છે, કેવું નિર્દોષ અને નિષ્કલંક વર્તન છે, અને કેવી સુંદર જીવનવ્યવસ્થા છે ! આવી અહોભાવના એમના મનમાં જાગે તો જ જીવ્યું સાર્થક ! તમે તમારા જીવનમાં ત્રણ વાતનું ખાસ ધ્યાન રાખજો : એક સત્સંગનું, બીજું અભયનું અને ત્રીજું કેળવણીનું. બીજા શબ્દોમાં કહું તો, સોબત સારી રાખજો, દિલ નીડર રાખજો, અને મનને કેળવણી આપજો. તમારા મિત્રો એવા હોવા જોઈએ કે તેમની ઊંડામાં ઊંડી અને ખાનગીમાં ખાનગી વાતમાં પણ ક્યાંય કટુતા અને ગંદાપણું ન હોય. બગીચામાં ફૂલો લેવા જનારે ફૂલને પણ ચૂંટીને પસંદ કરવાં પડે છે. એમાં ચીમળાયેલાં પણ ન જોઈએ, અને અર્ધખીલેલાં પણ ન જોઈએ. પૂર્ણ વિકસિત હોય એને જ લોકો પસંદ કરે છે. આપણે જેની પાસે બેસીએ છીએ, ફરીએ-હરીએ છીએ, વાતચીત કરીએ છીએ અને આપણા કીમતી કલાકો પસાર કરીએ છીએ તે મિત્રો એવા હોવા જોઈએ કે તે ખીલેલાં સુંદર ફૂલોની જેમ ૧૨૪ જ જીવન-માંગલ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy