SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ આજના આચાર્ય આવા ગુણવાન છે ખરા ? થોડાક ભક્તો ભેગા થઈને પદવી આપે આચાર્યની. પદવી આપનાર જ આચાર્ય કોને કહેવાય તે ન જાણે અને લેનાર અહંકારમાં ફુલાય. બંને ડૂબે. અલ્યા, પણ મુનિ થયો એટલે મૌન રહેવાનું છે અને એમાંથી સમય મળે ત્યારે કંઈક બોલવાનું છે. પણ આ ‘મુનિ’ એને સમજાયું નથી એટલે એને આગળ વિશેષણ લગાડવું પડે છે. એટલે ખરી વાત તો એ છે કે, જો આપણે ઊંડા ઊતરીને વિચારીશું તો ખ્યાલ આવશે કે, આપણે બાહ્ય વાતોમાં બહુ ૨મીએ છીએ. એટલા બધા ૨મતા થઈ ગયા છીએ કે ઘરમાં જવાનું મન થતું નથી. પેલું નાનકડું છોકરું ધૂળમાં ઘર બનાવે, રમત રમ્યા કરે, ફર્યા કરે, બહાર ખાય, બહાર રખડે, પણ એને યાદ આવતું નથી કે, મારી મા ત્યાં વાટ જુએ છે. મા બોલાવી રહી છે, એણે રસોઈ બનાવી છે. મારે નાહવાનું છે, ધોવાનું છે, ખાવાનું છે એની કશી ખબર પેલા છોકરાને નથી. એ તો એક ૨મતમાંથી બીજી રમત, બીજીમાંથી ત્રીજી, ત્રીજીમાંથી ચોથી અને એમ ને એમ રમતમાં લીન બનતો જાય છે. એટલી બધી એણે રમતો માંડી છે કે, એ એમાં જ મગ્ન બની ગયું છે. એને કશું યાદ આવતું નથી. જ્ઞાનીઓ કહે છે કે, પ્રભુરૂપી માતા પણ તારી પ્રતીક્ષા કરે છે. તને બોલાવે છે : ‘તું અંદર આવ, અને તું તને અનુભવ', પરંતુ એ તો એવો મોહમાં અને બાહ્ય જીવમાં લાગી ગયેલો છે કે તે એવું સતત ઝંખ્યા જ કરે છે : મારું નામ આવે, મારી પ્રસિદ્ધિ થાય, હું આખા સમાજમાં બહાર આવી જાઉં. એ બધામાં તારું શું વળવાનું ? તને કઈ શાંતિ મળવાની ? આખી દુનિયા તારાં ગુણગાન ગાય, પણ આત્મામાં જો સમતા નહિ હોય તો આખી દુનિયાનાં ગુણગાનથી પણ અંદર સુખ નહિ મળે. પૂર્ણતાનો સાદ આવી રહ્યો છે કે, “તું બહાર ન જા. થોડીક વાર પણ તને લઈને તું અંદર આવ. સમાધિમાં બેસીને જો કે તારું ભૂષણ શું ? તારો અલંકારશો ? તારો દાગીનો કર્યો ? તું પૂર્ણ શાથી ?'' Jain Education International ૧૧૨ * જીવન-માંગલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy