SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ તમે તરત જ એની પાસે જવાના અને કહેશો, “શું છે ? મારી વાત કરો છો ? હું બગભગત છું ?”.. અને બસ કલહનું પારાયણ ચાલ્યું ! આ આપણી એક કસોટી છે. એ વખતે આપણે આટલો વિચાર કરી શકતા નથી કે આ તપનો સમય છે, અને એ સમયે બધું ભૂલી જવું જોઈએ. એ વખતે એને તો એમ કહેવું જોઈએ કે તું તારે ફાવે તેમ કરને ભાઈ ! અત્યારે તો હું મારામાં મગ્ન છું. જો આપણે બે ઘડીનો સાચો આનંદ માણવાની ટેવ પાડી હોય તો એ બે ઘડીની ટેવમાંથી આપણે ધીમે ધીમે આગળ વધી શકીએ. પણ, વાત એ છે કે, એનો અનુભવ જે રીતે કરવો જોઈએ તે માટે આપણે પ્રયત્ન જ કરતા નથી. છાપામાં લડાલડી કરે, “હું મોટો ને તું ખોટો' એવી જે જાહેરાતો છપાવે એ બધા યોગીશ્વર નથી; એ બધા સાધુ પણ નથી; એ તો બધા બહારની વાતો કરનારા છે. યોગીને તો કંઈ લાગે જ નહિ.. એ તો કહે કે તું તારે ફાવે એમ કર અને હું મારા માર્ગે ધીમે ધીમે જઉં છું, આવો માણસ જ સાચો યોગીશ્વર બાકી, આજે તો નિરનિરાળાં વિશેષણો લાગે છે. એવાં વિશેષણો કે તે સાંભળીને જ આપણે સ્તબ્ધ થઈ જઈએ. કોઈ કહે જગદ્ગુરુ તો કોઈ કહે ભારત-વિખ્યાત; કોઈ કહે સાહિત્યરત્ન તો કોઈ કહે કવિકુલશિરોમણિ. પણ જો તમે આવા હો તો દુનિયા તમને કેવી માનતી હોવી જોઈએ ? તમે જો ખરેખર જગદ્ગુરુ હો તો તમારી તરફનો આદર કેવો હોવો જોઈએ ? આખા જગતની વાત જવા દઈએ તો પણ કહો, તમારો આખો સમાજ પણ તમને આદરથી માને છે ખરો ? તમે જો કવિરત્ન હો કે કવિકુલશિરોમણિ હો, તો તો દુનિયાના બીજા કવિઓ તમારી જ કવિતા વાંચતા હોવા જોઈએ. ખરેખર, તમે જો એવા હો તો તમારા મુખમાંથી પાણી ઝરે ત્યારે અમૃત નીતરે.... પરંતુ હકીકતમાં એવું નથી. આજે તો વિશેષણો બહુ સહેલાં થઈ ગયાં છે. એનું પરિણામ એ આવી ગયું છે કે વિશેષણનું વિશિષ્ટ મૂલ્ય જે રહેવું જોઈએ એ આજે રહ્યું નથી, શબ્દો આજે સસ્તા થઈ ગયા છે, અને તેનો વપરાશ છૂટથી કરવામાં આવે છે. “આચાર્ય' એ એક જ વિશેષણ કેવું અર્થપૂર્ણ છે, જેમાં બત્રીસ ગુણો હોય છે. જે પાંચ ઇન્દ્રિયોને કાબૂ કરે, ચાર કષાયને જીતે, પંચાચારને પાળે, નવ પ્રકારની બ્રહ્મમર્યાદા રાખે – આવા પ્રકારના છત્રીસ ગુણો જેમનામાં હોય તે સાચો આચાર્ય. પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy