SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરજ અને ચંદ્ર એટલે સાસુ અને શ્વશુર. શ્વશુર સૂરજ જેવા એટલા માટે કે, એ ઘરમાં આવે કે તરત જ ઘરનું વાતાવરણ સ્વસ્થ થઈ જાય એવો એમનો પ્રભાવ હોય છે. સાસુ ચંદ્રમા જેવાં એટલા માટે કે એ ચંદ્ર જેવી શીતળતા આપતાં હોય છે. કહેતાં હોય છે કે, ‘વહુ બેટા, હું બેઠી છું, પછી તારે શી ચિંતા છે ?' માના વિયોગમાં મા બની હૈયા-ટાઢક આપનારી સાસુ ચંદ્રમા નથી તો બીજું શું છે ? એટલા જ માટે મારા ગૃહ-ગગનના સૂરજ અને ચંદ્ર બીજા કોઈ નહિ, પરંતુ સાસુ ને સસરા છે, કર્યો પિતાજી ! હું એ સૂરજ અને ચંદ્રને પૂજું છે કે નહિ ? સવારમાં ઊઠીને તમને અને મારાં સાસુજીને દિલના આદરથી વંદન કરું છે કે નહિ ? સદ્ભાવપૂર્વકનો આદર આપું છું કે નહિ ? બસ, અંતરનો આદર એ જ મારે મન સાચી પૂજા છે. જેના અંતરમાં આદર ન હોય, મનમાં ધિક્કાર ભર્યો હોય છતાં પૂજા કરવી અને વંદન કરવાં એ તો કેવળ દેખાવ છે, પાખંડ છે. પૂજા તો આદરથી કરવાની હોય. આપની તેમજ મારાં સાસુજીની પૂજા મારે માટે સાચા સૂરજ અને સાચા ચંદ્રમાની પૂજા બરાબર છે.’ મૃગધરના અંતરમાં આદર ઊમટી આવ્યો. વિશાખાએ આગળ કહ્યું, “વળી, મારાં માબાપે મને બીજી શિખામણ એ આપી હતી કે અગ્નિ સાથે અડપલાં કરીશ નહિ. આ અગ્નિ એટલે શું ? મારે મન પતિ એટલે અગ્નિ. એ ઘર ચલાવે પણ ખરા અને જલાવે પણ ખરા. અગ્નિ વડે રસોઈ પણ કરી શકાય, ટાઢ વખતે તાપણી પણ કરી શકાય. પરંતુ જો એમાં હાથ નાખીએ તો હાથ જલી જાય, અને એની સાથે અડપલાં કરીએ તો ઘર જલી જાય. સ્ત્રીને માટે પુરુષ પણ અગ્નિ જેવો જ છે. એની સાથે સ્ત્રી મર્યાદા મૂકીને બોલે, મર્યાદા મૂકીને વર્તે તો તેની અસર ખૂબ ખરાબ પડે. પરિણામે પુરુષ અને સ્ત્રી વચ્ચે જે સન્માનની લાગણી રહેવી જોઈએ તે ૨હે નહિ એટલું જ નહિ, પણ એકબીજાની સામે ધિક્કાર અને તિરસ્કાર કેળવાતો જાય. ઘરમાં જો છોકરાં હોય તો તેમના સંસ્કાર પણ આવું જોઈને સળગી જાય છે, એટલે સ્ત્રીએ પુરુષની સાથે તો અગ્નિની જેમ જાળવીને મર્યાદાપૂર્વક કામ લેવાનું છે. મર્યાદા ભૂલી જવાય તો અગ્નિના તણખાની જેમ ઘરને જલાવી દે. કહો, પિતાજી, મારા પતિની મર્યાદા અગ્નિની જેમ જાળવું છે કે નહિ ?'' આજે તો રસ્તે ગમે ત્યાં જતાં-આવતાં, ગમે તેમ વર્તવું, ગમે તેમ ફરવું, ગમે તેમ મશ્કરીઓ કરવી, અને ગમે તેવા નિર્લજ્જ ચેનચાળા કરવા એક ફૅશન બની ગઈ છે; અને આ ફૅશનને લીધે જ આપણી શિસ્ત અને આપણી સંસ્કારિતા નષ્ટ થઈ રહી છે; આપણા સમાજના ચારિત્રનો ધ્વંસ થઈ રહ્યો છે. Jain Education International પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૦૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy