SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ સામાન્ય-વિશેષ ઉભયરૂપ, વાચ્ય-અવાચ્ય ઉભયરૂપ અનેકાન્ત એવો અર્થ થાય. પ્રશ્ન –જ્યારે બધાં દર્શનો પરસ્પર વિરુદ્ધ કથન કરનારાં છે ત્યારે તે પરસ્પર વિરોધી દર્શનોએ કહેલા તેમને અભિમત, વસ્તુના સભૂત અંશો ક્યા છે જેમનું પરસ્પર સાપેક્ષરૂપે સમન્વયાત્મક કથન કરનારો ચહ્નાદ સત્વવાદ અર્થાત સાચો મત ગણાય? ઉત્તર - જો કે બધાં દર્શનો પોતાના પરસ્પરના મતભેદના કારણે એકબીજાના વિરોધી છે તેમ છતાં એક વાત તો સુનિશ્ચિત છે કે તે દર્શનોએ પોતપોતાના દષ્ટિકોણ મુજબ કહેલા વસ્તુના એવા પણ અંશો છે જે પરસ્પર સાપેક્ષ બનીને સમીચીન બની જાય છે અર્થાતુ અવિરોધી અને યથાર્થ બની જાય છે અને એવા સમન્વિત વસ્તુઅંશોનો પ્રતિપાદક સ્યાદ્વાદ સાચો વાદ યા સિદ્ધાન્ત બની જાય છે. ઉદાહરણાર્થ–બૌદ્ધો વસ્તુને અનિત્ય માને છે જ્યારે સાંખ્ય ચિન્તકો તેને નિત્ય માને છે. નૈયાયિકો અને વૈશેષિકો નિત્ય અને અનિત્યનો, ભાવ અને અભાવનો તથા સામાન્ય અને વિશેષનો આત્મત્તિક ભેદ માને છે. મીમાંસકો વસ્તુને ભિન્નભિન્ન, નિત્યાનિત્ય, અસતુ અને સામાન્યવિશેષ ઉભયરૂપ માનવાછતાં તેમાં સ્વાત’ શબ્દનો પ્રયોગ કરતા નથી, વળી તેઓ શબ્દને સર્વથા નિત્ય જ માને છે. કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ કે પુરુષાર્થ આદિને જગતનું કારણ માનનારા કેટલાક મતવાદીઓ છે. શબ્દાદ્વૈતવાદી વૈયાકરણો એક માત્ર શબ્દને પરમ તત્ત્વ માને છે. બ્રહ્માદ્વૈતવાદી વેદાન્તીઓ એક માત્ર બ્રહ્મનો પરમ તત્ત્વ તરીકે સ્વીકાર કરે છે. વિજ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધો એક માત્ર ક્ષણિક જ્ઞાનને પરમ તત્ત્વ તરીકે સ્વીકારે છે. આમ ભિન્ન ભિન્ન મતવાદીઓ જે જે વસ્તુઅંશોનો અંગીકાર કરે છે અને જેમનું નિરૂપણ કરે છે તે જ વસ્તુઅંશો જયારે વસ્તુસ્થિતિના આધારે પરસ્પર સાપેક્ષરૂપે સમન્વિત થઈ જાય છે ત્યારે તે બધી વસ્તુઅંશો પરમસત્યરૂપ બનીને પોતાના પ્રતિપાદક સ્યાદ્વાદદર્શનને સાચું દર્શન બનાવી દે છે. પરંતુ જો આ વસ્તુઅંશોનો પરસ્પર સમન્વય ન કરવામાં આવે અને તેમને નિરપેક્ષ છોડી દેવામાં આવે તો તે વસ્તઅંશો પરસ્પર વિરોધી બની એકબીજાનું નિરસન કરીને આકાશકુસુમ જેવા અસત્ બની જશે. આિ બધાનું તાત્પર્ય નીચે જણાવીએ છીએ. વસ્તુ પરસ્પર સાપેક્ષ ગુણો અને પર્યાયોરૂપ જેટલા પણ વસ્તુઅંશો છે તે બધાનો એક સમન્વિત અખંડ પિંડ છે. જો વસ્તુનો પ્રત્યેક અંશ એકબીજાની અપેક્ષા રાખવાનું છોડી દે તો તે બધા અંશો પરસ્પર વિરોધી બની એકબીજાનું નિરસન કરી અસત્ જ બની જશે. જયારે દર્શનો પોતપોતે નિરૂપેલા વસ્તુના અંશને જ પૂર્ણ અખંડ વસ્તુ માનવાનો આગ્રહ રાખે છે ત્યારે તેઓ સહજપણે એકબીજાના વિરોધી બની જાય છે. પરંતુ જો પ્રત્યેક દર્શન એમ સમજવા લાગે કે “મેં પ્રતિપાદિત કરેલું વસ્તુનું સ્વરૂપ આ અપેક્ષાથી છે અને બીજા દર્શને પ્રતિપાદિત કરેલું વસ્તુનું સ્વરૂપ બીજી અપેક્ષાથી છે અને એ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy