SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ સમદર્શીની સમદષ્ટિ યાકિની મહત્તરાના ધર્મપુત્રા ભવવિરહસૂરિ આચાર્ય હરિભદ્રસૂરિનું નામ જૈન ધર્મના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે કોતરાયેલું છે. સર્વ ધર્મ અને સર્વ દર્શન પ્રતિ સમભાવ ધરાવનારા અને સત્યમાર્ગના અનન્ય ઉપાસક સમદર્શી આચાર્ય હરિભદ્રનો જીવનકાળ વિ.સં. ૭પ૭ થી ૮૨૭ વચ્ચે હોવાનું પુરવાર થયેલ છે. આ. હરિભદ્રસૂરિ સંસ્કૃત અને પ્રાકૃત ભાષા, ભારતીય દર્શનો, જૈન આગમો, જૈનેતર ધર્મશાસ્ત્રો, યોગ, જયોતિષ આદિ અનેક વિષયોના પ્રકાંડ વિદ્વાન હતા. એવી કિંવદંતી જૈન સાહિત્યમાં પ્રચલિત છે કે હરિભદ્રસૂરિજીએ ૧૪૪૦ ગ્રંથોની રચના કરી હતી. એમનાં ઉપલબ્ધ ગ્રંથોનું પ્રમાણ જોતાં જ એમની અભુત પ્રતિભાનું દર્શન થાય છે. આ. હરિભદ્રસૂરિએ નવ જેટલાં આગમોની ટીકા રચી છે, ચૌદ જેટલા આગમિક પ્રકરણો રચ્યાં છે, એટલાં જ દાર્શનિક ગ્રંથો રચ્યા છે, યોગવિષયક તેમના પાંચ ગ્રંથો મળે છે, સમરાદિત્યકથા અને ધૂર્તાખ્યાન એ બે તેમના અત્યંત રસાવહ કથાગ્રંથો છે. આ ઉપરાંત તેમણે અનેક ગ્રંથો રચ્યાના ઉલ્લેખો જૈન સાહિત્યમાં અનેક જગ્યાએ મળે છે. પદર્શનસમુચ્ચય ગ્રંથ આ. હરિભદ્રસૂરિની તેમના સમયના પ્રચલિત ભારતીય દર્શનોનો પરિચય કરાવતી કૃતિ છે. પદર્શનસમુચ્ચય ઉપર આ. ગુણરત્નસૂરિની ટીકા તર્કરહસ્યદીપિકા પ્રસિદ્ધ છે. અત્રે મૂળ અને ટીકા બન્નેનો ગુજરાતી અનુવાદ પ્રકાશિત થઈ રહ્યો છે. ડૉ. નગીનભાઈ શાહે અત્યંત સરળ અને વિશદ અનુવાદ સાથે જ પ્રાચીન ભારતીય દર્શનો અને ભારત બહારની દાર્શનિક પ્રવૃત્તિઓની છણાવટ કરતી વિસ્તૃત પ્રસ્તાવના અને પરિશિષ્ટો જોડી ગ્રંથને અત્યંત મૂલ્યવાન બનાવી દીધો છે. પરમ પૂજ્ય મોટા મહારાજશ્રી (પ.પૂ. સ્વ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.) તથા પરમ પૂજ્ય ગુરુદેવશ્રી (પ.પૂ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy