SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ તર્કરહસ્યદીપિકા ધારવા મુજબ એરિસ્ટોટલવાદી એરિસ્ટોક્સેનસ (આનુ. ઈ.સ પૂર્વે ૩૦૦) સુધી પાછળ જતી જે પરંપરાને ચર્ચફાધર યુસેબિયસ જણાવે છે તે એ છે કે એક ભારતીય વ્યક્તિ પરમ તત્ત્વજ્ઞાની સોક્રેટીસને એથેન્સમાં મળેલી અને તેણે સોક્રેટીસને તેમની દાર્શનિક વિચારણાના વિશે પ્રશ્ન કરેલો. જ્યારે સોક્રેટીસે ઉત્તર આપ્યો કે માનવજીવનની સમસ્યાઓનું પોતે અધ્યયન કરે છે, ત્યારે પેલો ભારતીય હસ્યો અને તણે સમજાવ્યું કે માનવીય બાબતોનું અધ્યયન કરવું કે તેમને સમજવી દિવ્ય તત્ત્વનો વિચાર કર્યા વિના અશક્ય છે. ભલે આ પ્રસંગકથા ઈ.સ. પૂર્વે ૩૦૦ પહેલાં ઉપજાવી કાઢી હોય તો પણ સૂચક છે. ફિલોસ્ટ્રેટસ પાયથાગોરસને ભારતની પ્રજ્ઞાના ગ્રાહક અને વાક તરીકે રજૂ કરે છે. પાયથાગોરસ ભારતીય નગ્ન ધ્યાની ચિન્તકો પાસે મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સિદ્ધાન્તો શીખ્યા. એ નોંધપાત્ર છે કે તેના સંસરણના (પુનર્જન્મના) સિદ્ધાન્તની અને ભારતીય પરંપરાના સંસરણના (પુનર્જન્મન) સિદ્ધાન્તની વચ્ચેના સંબંધનો વિચાર, ગ્રીક ચિન્તન ઉપર ભારતીય પ્રભાવોના પ્રશ્નને ચર્ચતા વધારે આધુનિક સાહિત્યમાં કેન્દ્રસ્થાને રહેતો આવ્યો છે. નવ્યપાયથાગોરસવાદી એપોલોનીઅસ (અનુ. ઈ.સ.૧૦૦) ભારતની સાથે ઘનિષ્ઠ સંબંધમાં હતા. ફિલોસ્ટ્રેટસે લખેલા તેમના દંતકથાત્મક જીવનચરિતમાં એપ્પોલોનીઅસ ઈજિપ્તની પ્રજ્ઞા વિરુદ્ધ ભારતીય પ્રજ્ઞાની હિમાયત કરે છે. પ્લોટીનસ (ઈ.સ. ૨૦૫-૨૭૦)ની રુચિ ભારતીય પ્રજ્ઞામાં હતી. તેમણે ભારતીય પ્રજ્ઞા વિશે વધુ ને વધુ શીખવા પ્રયત્ન કર્યા. કેટલાક સંશોધકોનો મત છે કે પોતાના તત્ત્વજ્ઞાનના પ્રાણભૂત અંશો માટે પ્લોટીનસ ભારતીય પરંપરાના ઋણી છે. પ્લોટીનસના ગુરુ એલેકઝાંડ્રિયાના એમ્મોનિયસ સકસ ભારતીય ચિન્તનના વાહક રહ્યા હશે અને પોતાના શિષ્યની ભારતીય ચિતન વિશેની રુચિ માટે જવાબદાર હશે. “સક્કસ' શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ “શાક્યનું રૂપ હોવાની સંભાવના છે, તે તેમના બૌદ્ધ સંબંધનો નિર્દેશ કરે છે. નોસ્ટીકોના ગૂઢજ્ઞાનમાર્ગી ચિત્તનના શક્ય ભારતીય સંબંધોનો અને ખાસ તો તેના બૌદ્ધ પારમિતાસાહિત્ય સાથેના સંબંધનો પ્રશ્ન ચર્ચાતો રહ્યો છે. એક મહત્વના નોસ્ટીક ઉપદેષ્ટા એદેસાવાસી બાહેંસનેસ(આનુ ઈ.સ. ૨૦૦)ની બાબતમાં પરંપરા પોતે તેમના શક્ય ભારત પ્રવાસ સહિત, ભારત સાથેના તેમના વિસ્તૃત સંપર્કોની કલ્પના કરવી જરૂરી માને છે. ત્રીજી શતાબ્દીના ચર્ચફાધર હિપ્પોલાયટસે લખેલો ઇલેન્કોસ (Elenchos) નામનો ગ્રન્ય ભારતીય ધાર્મિક અને દાર્શનિક સિદ્ધાન્તોનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy