SearchBrowseAboutContactDonate
Page Preview
Page 772
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૧ મીમાંસક-લોકાયતમત રૌદ્રધ્યાન આ બે ધ્યાનો હેય છે. અથવા સાધ્ય એટલે સાધનીય કાર્યમાં, તપ-સંયમ આદિ ઉપાદેય પુણ્યરૂપ કાર્યોમાં પ્રવૃત્તિ તથા વિષયસુખ આદિ હેય પાપરૂપ કાર્યોમાંથી નિવૃત્તિ દ્વારા મનુષ્યોને જે આત્મસુખ યા મનઃસન્તોષ થાય છે તે ચાર્વાકોની દષ્ટિમાં નિરર્થક છે, નિસ્પ્રયોજન છે, નિષ્ફલ છે, મિથ્યા છે, કેમ કે તેમના મતમાં કામથી અર્થાત્ વિષયસુખસેવનથી ચડિયાતો કોઈ ધર્મ નથી, કામભોગ જ પરમ ધર્મ છે અને તર્જન્ય સુખ જ પરમ સુખ છે. અથવા જે લોકો ધર્મના પ્રભાવથી જ વ્યાપારધંધામાં લાભ, પુત્રોત્પત્તિ આદિ ઈષ્ટ કાર્યોની સિદ્ધિ તથા વ્યાપારધંધામાં નુકસાન અને અન્ય અનિષ્ટ કાર્યોની આપત્તિનું નિવારણ માને છે – ટૂંકમાં ધર્મ દ્વારા ઈષ્ટ કાર્યોની સિદ્ધિ અને અનિષ્ટ કાર્યોની અસિદ્ધિ માને છે તેમને ઉદેશી ચાર્વાકો કહે છે, “તમારી આ માન્યતાનિર્દૂલ તથા નિષ્ફલ છે. તપ, જપ, હોમ આદિથી મનોરથોની પૂર્તિ તથા રોગ આદિ અનિષ્ટોની યા વિપ્નોની નિવૃત્તિ તેમ જ તપ, જપ, હોમ આદિ કાર્યો કરવાથી મનઃસુખ અને સન્તોષ થાય છે એમ તમારું માનવું નિરર્થક છે. [તપ, સંયમ, ધર્મ આદિનું આચરણ કરનારા ઘણા લોકો દુઃખી જણાય છે જ્યારે પરમ અધાર્મિક લોકો સુખી દેખાય છે. તેથી ધર્મથી સુખ આદિ મળે છે અને દુઃખ આદિ ટળે છે એમ માનવું ખોટું છે.] આ માન્યતા નિર્મુલ અને નિર્દેતુક છે.” ચાર્વાક મતમાં કામભોગ યા વિષયસેવન જ પરમ ધર્મ છે, તેનાથી ચડિયાતો બીજો કોઈ ધર્મ નથી. શ્લોકગત નિરર્થ' શબ્દ છે. તેમાં જે “અર્થ શબ્દ છે તેનો અર્થ હેતુ પણ થાય છે. તેથી “નિરર્થ' એટલે નિતુક, નિમૅલ. (૮૬). 19. સાસંદાलोकायतमतेऽप्येवं संक्षेपोऽयं निवेदितः । अभिधेयतात्पर्यार्थः पर्यालोच्यः सुबुद्धिभिः ॥४७॥ 19. ઉપસંહારમાં આચાર્ય જણાવે છે કે આ રીતે લોકાયતમતનું પણ અમે સંક્ષિપ્તનિરૂપણ કર્યું. સુબુદ્ધિ વિચારકોએ બધાં દર્શનોનાં વક્તવ્યોના તાત્પર્યાર્થિની સારી રીતે પર્યાલોચના કરવી જોઈએ. [જે દર્શનનું વક્તવ્ય યુક્તિસંગત જણાય તેનું અનુસરણ કરવું. (૮૭). 20. ચાર-પુર્વમ્ નમુના પ્રશ્ન મોઃ સપુષ્યથાર્થત્વાન્ન સેવતमन्यमतेषु संक्षेप उक्तो लोकायतमतेऽप्ययमनन्तरोक्तः संक्षेपो निवेदितः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy