SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૪ તર્કરહસ્યદીપિકા ખરેખર તો અબહુશ્રુત જ છે. “પદ્ધતિ દુકૃતી:' એવો પાઠ પણ મળે છે. આ પાઠાન્તર અનુસાર આ પ્રમાણે અર્થ કરવો જોઈએ – જેઓ લોકમાં બહુશ્રુત તરીકે પ્રસિદ્ધ પંડિત છે તેઓ આ નિશાનોને રીંછપગલાં કહે છે. જેવી રીતે આ પંડિતો રીંછનાં પગલાં અને મનુષ્ય દોરેલા કૃત્રિમ ચિહ્નોનો ભેદ સમજયા વિના એકે જ કહ્યું તેને અનુસરીને ગતાનુગતિક બનીને આ કૃત્રિમ ચિહ્નોને જ સાચાં રીંછપગલાં માને છે અને લોકોને પણ તે પ્રમાણે મનાવે છે અને એ રીતે ભોળા લોકોને અજ્ઞાનના કૂવામાં ધકેલી દે છે અને તેમની મૂર્ખતાપૂર્ણ વાતોથી રીંછપગલાં અને કૃત્રિમ ચિહ્નોનો ભેદ સમજનારાઓની હાંસી અને ઉપેક્ષાને પાત્ર બને છે તેવી જ રીતે ધર્મની આડમાં સ્વાર્થ સાધનારા ઘણા ધુતારાઓ બીજાઓને ઠગવા માટે તથા પોતાનો સ્વાર્થ સાધવા માટે અનુમાન-આગમ આદિથી દઢતાપૂર્વક જીવાદિનું અસ્તિત્વ સિદ્ધ છે જ એમ એકને અનુસરી સૌ એકસરખું બોલીને તથા સ્વર્ગ આદિ સુખોની લાલચ આપીને ભોળા જનોને “આ ભર્યા છે અને આ અભક્ષ્ય છે, આ ગમ્ય છે અને આ અગમ્ય છે, આ હેય છે અને આ ઉપાદેય છે' ઇત્યાદિ સ્વબુદ્ધિકલ્પિત ભક્ષ્યાભઢ્યાદિની ભુલભુલામણીમાં નાખી પોતાનો જ સ્વાર્થ સાધી લે છે. આ રીતે તેઓ ઘણા બધા મૂર્ખ ધાર્મિકોની બુદ્ધિને પોતાની કુશળતાથી પોતાને વશ કરીને તેમને અનેક રીતે ઠગે છે, પરંતુ જેમને વાસ્તવિક તત્ત્વજ્ઞાન છે તે સમજુ લોકોના તો તે ધુતારાઓ ઉપેક્ષા અને તિરસ્કારને પાત્ર જ બને છે. આ બધું જોઈને મૂઢ પત્ની પોતાના પતિનાં વચનોમાં બરાબર એવી રીતે વિશ્વાસ કરવા લાગી કેવી રીતે પહેલાં તે સ્વર્ગ, નરક આદિમાં વિશ્વાસ કરતી હતી. . આમ ચાર્વાકે પોતાની પત્નીની બુદ્ધિને આસ્તિકમાંથી નાસ્તિકમાં પરિવર્તિત કરી નાખી. 7. तदनु च तस्याः स पतिर्यदुपदिष्टवान् तदेव दर्शयन्नाहपिब खाद च चारुलोचने, यदतीतं वरगात्रि तन्न ते । न हि भीरु गतं निवर्तते, समुदयमात्रमिदं कलेवरम् ॥८२॥ 7. ત્યારબાદ તેના પતિએ તેને જે ઉપદેશ આપ્યો તેને જ આચાર્ય જણાવે છે– હે ચારુલોચના, જે ખાવાનું મન થાય તેને ખુશીથી ખાઓ, જે પીવાનું મન થાય તેને યથેચ્છ પીઓ. હે સુન્દરી, જોબનિયું ચાલ્યું જશે પછી પાછું નહિ આવે. જે ગયું તે ગયું, તે તને ફરી નહિ મળે. સ્વિર્ગ અને નરકના ચક્કરમાં પડ્યા વિના પીરસેલા થાળને છોડ નહિ, તેને ભોગવ.] આ શરીર પૃથ્વી આદિ ભૂતોનો કેવળ સમુદાય છે [અને અહીં જ નાશ પામી જવાનું છે. તે પરલોક સુધી જવાનું નથી. માટે નિર્ભય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy