SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ મીમાંસક-લોકાયતમત ૬૭૧ અતીન્દ્રિય વસ્તુ છે જ નહિ. આસ્તિકો જે જીવ, પુણ્ય, પાપ, પુણ્ય-પાપના ફળરૂપ સ્વર્ગ-નરક આદિ અતીન્દ્રિય પદાર્થો ન માને છે તે બધી વસ્તુતઃ છે જ નહિ કેમ કે તેમનું પ્રત્યક્ષ થતું નથી. જો અપ્રત્યક્ષ વસ્તુનું પણ અસ્તિત્વ હોય તો શશશૃંગ અને વધ્યાપુત્રનું પણ અસ્તિત્વ માનવું પડે. પાંચ પ્રકારની ઇન્દ્રિયોના વિષયોને છોડી જગતમ. અન્ય કોઈ અતીન્દ્રિય પદાર્થનું અસ્તિત્વ છે જ નહિ. કઠોર, કોમળ આદિ સ્પર્શવાળા પદાર્થો, તીખા, કડવા, તુરા આદિ સ્વાદવાળા પદાર્થો, સુગન્ધી, દુર્ગન્ધી પદાર્થો, પૃથ્વી, પર્વત, ભુવન, વૃક્ષ, સ્તષ્ણ, કમલ આદિ, મનુષ્ય, પશુ, વ્યાપદ આદિ, સ્થાવર અને જંગમ સઘળા પદાર્થો અને વિવિધ પ્રકારના વણા, વાંસળી આદિના ધ્વનિઓને છોડી કોઈ પણ અતીન્દ્રિય પદાર્થનું અસ્તિત્વ અનુભવાતું નથી એટલે છે જ નહિ. જ્યારે પૃથ્વી આદિ ભૂતોમાંથી ઉત્પન્ન થતા ચૈતન્યથી અતિરિક્ત એવો ચૈતન્યરૂપ લિંગ યા હેતુથી કલ્પવામાં આવતો અર્થાત અનુમાન વડે માનવામાં આવતો પરલોકગામી જીવ પોતે જ પ્રત્યક્ષ અનુભવાતો નથી (અને તેથી અસ્તિત્વ ધરાવતો નથી, ત્યારે જીવનમાં સુખ-દુઃખનાં કારણો ધર્મ અને અધર્મ, ઉત્કૃષ્ટ ધર્મ અને ઉત્કૃષ્ટ અધર્મનાં ફળોને ભોગવવાનાં સ્થાનો સ્વર્ગ અને નરક, તથા પુણ્ય અને પાપના ક્ષયથી ઉત્પન્ન થતું મોક્ષસુખ – આ બધા અતીન્દ્રિય પદાર્થોની કલ્પના તો તેવી હાસ્યાસ્પદ અને ઉપેક્ષણીય છે જેવી આકાશમાં વિચિત્ર ચિત્ર દોરવાની કલ્પના. આ જાતની અનનુભૂત કાલ્પનિક વાતો સાંભળી કોણ હાંસી ન ઉડાવે ? તેથી જેઓ સ્પર્શવા, સ્વાદવા, સુંઘવા, જોવા અને સાંભળવા અયોગ્ય - અર્થાત જેમને ન સ્પર્શી શકાય, નસ્વાદી શકાય, ન સૂધી શકાય, ન જોઈ શકાય અને ન સાંભળી શકાય એવા - અતીન્દ્રિય જીવાદિ પદાર્થોમાં આદર યા શ્રદ્ધા કરીને સ્વર્ગસુખ, મોક્ષસુખ આદિ સુખોની ઝંખનાના કારણે બુદ્ધિભ્રષ્ટ થવાથી ઠગાવાથી માથું-દાઢી મુંડાવી કઠોર તપો કરે છે, અત્યંત દુષ્કર વ્રતો પાળે છે, ઉનાળાના કઠોર તપ આદિને સહન કરે છે અને બીજા પણ વિવિધ પ્રકારના ક્લેશો સહન કરે છે અને આ રીતે પોતાના મનુષ્યજન્મને વેડફી નાખે છે તેમની મૂર્ખતાને અને તેમના મહામોહના તીવ્ર પ્રસારને જોઈને તે બિચારાઓ ઉપર દયા આવે છે. કહ્યું પણ છે કે- “અનેક તપો કરવાં એ તો કેવળ નિરર્થક વિવિધ દારણ યાતનાઓ સહેવી છે. સંયમ એ તો ભોગોથી વંચિત રહેવું છે. અગ્નિહોત્ર આદિ ક્રિયાઓ તો બાલક્રીડાઓ જેવી જણાય છે. તેથી જયાં સુધી જીવો ત્યાં સુધી સુખે જીવો અર્થાત યથેચ્છ વિષયસુખ ભોગવો. જ્યારે દેહ બળી જશે, શરીર રાખ બની જશે ત્યારે તે દેહનું પાછું આવી મળવું ક્યાંથી સંભવે? [તેથી ભવિષ્યના સુખની જૂઠી ઝંખનાથી પ્રાપ્ત અવસરને ચૂકવો ન જોઈએ.].” આ બધાનો સુનિશ્ચિત નિષ્કર્ષ એ છે કે ઇન્દ્રિયગોચર પદાર્થ જ તાત્ત્વિક છે, પરમાર્થ સત્ છે, તેની જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy