SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ મીમાંસક-લોકાયતમત ૬૬૩ વસ્તુ છે, કેમ કે તેમાં ગાય આદિની જેમ ‘આ અભાવ છે’ ‘આ અભાવ છે’ એવી એકાકાર બુદ્ધિ અર્થાત્ અનુવૃત્તિબુદ્ધિ થાય છે અને ‘આ પ્રાગભાવ છે’ ‘આ પ્રધ્વંસાભાવ છે' એવી વ્યાવૃત્તિબુદ્ધિ યા વિશેષબુદ્ધિ થાય છે, ઉપરાંત તે પ્રમેય છે અર્થાત્ પ્રમાણનો વિષય છે. અવસ્તુના તો આ પ્રાગભાવ આદિ ભેદ હોઈ શકે જ નહિ. તેથી, કેમ કે તેના પ્રાગભાવ આદિ અવાન્તર ભેદો છે માટે તે વસ્તુ છે. ઘટ આદિ કાર્યોનો અભાવ જ મૃત્પિડ આદિ કારણોનો સદ્ભાવ છે. તાત્પર્ય એ કે અભાવ સર્વથા તુચ્છ ન હોતાં ભાવાન્તરરૂપ છે. ઘડાનો અભાવ શુદ્ધ ભૂતલરૂપ છે. કાર્યનો અભાવ કારણના સદ્ભાવ રૂપ છે. વસ્તુઓનું પોતપોતાના નિયત સ્વરૂપમાં સ્થિર રહેવું, તેમનો પરસ્પર સંકર ન થવો એ જ અભાવની સત્તાનું સબળ પ્રમાણ છે. દૂધ આદિ કારણોમાં દહીં આદિ કાર્યોનું ન હોવું એ જ પ્રાગભાવ છે. દહીં આદિ કાર્યોમાં દૂધ આદિ કારણોનું ન હોવું એ જ પ્રÜસાભાવ છે. જો પ્રધ્વંસાભાવ ન હોત તો દૂધનો નાશ ન થાત અને દહીંમાં પણ દૂધનો સદ્ભાવ હોત. ગાય આદિમાં ઘોડા આદિનો અભાવ અન્યોન્યાભાવ છે. સસલાના માથાના અવયવોમાં વૃદ્ધિ તથા કઠિનતા ન હોતાં અવયવોનું નીચે - સમતલ રહેવું એ જ શશશૃંગરૂપ અત્યન્તાભાવ છે. માથાના અવયવોનું કઠિન થઈ ઉપરની બાજુએ વધવું – ઉપરની તરફ નીકળી આવવું એ જ શિંગડું કહેવાય છે. જ્યારે માથાના અવયવો સમતલ જ રહે, કઠિન ન થાય તેમ જ વધે નહિ ત્યારે તે શિરની સમતલતા જ શશશૃંગનો અત્યન્નાભાવ કહેવાય છે.” [મીમાંસાશ્લોકવાર્તિક અભાવ૦ શ્લોક ૨-૪, ૭-૯] જો તેમનું વ્યવસ્થાપક અભાવપ્રમાણ ન હોય તો વસ્તુઓની નિયત વ્યવસ્થા જ ટળી જાય, તેની આશા જ ન રખાય. પરિણામે અવ્યવસ્થા જ અવ્યવસ્થા થાય. “દૂધમાં દહીં, દહીંમાં દૂધ, ઘડો જ પટ, સસલાના માથા પર શિગડાં, પૃથ્વી વગેરેમાં ચૈતન્ય, આત્મામાં મૂર્તત્વ, પાણીમાં ગંધ, અગ્નિમાં રસ, વાયુમાં રૂપ, રસ, ગન્ધ, આકાશમાં સ્પર્શ આદિની આપત્તિ આવે અને સઘળી લોકવ્યવસ્થાનો નાશ થઈ જાય. જો અભાવપ્રમાણની સત્તા ન માનવામાં આવે તો પ્રતિનિયત લોકવ્યવહાર અસંભવ બની જાય.” [ મીમાંસાશ્લોકવાર્તિક, અભાવ. શ્લોક ૫-૬]. 39. अथ निरंशसदेकरूपत्वाद्वस्तुनोऽध्यक्षेण सर्वात्मना ग्रहणे कोऽपरोसदशो यत्राभावः प्रमाणं भवेदिति चेत्; न; स्वपररूपाभ्यां सदसदात्मकत्वाद्वस्तुनः, अन्यथा वस्तुत्वायोगात् । न च सदंशासदंशस्याभिन्नत्वात्तद्ग्रहणे तस्यापि ग्रह इति वाच्यम्, सदसदंशयोर्धर्म्यभेदेऽपि भेदाभ्युपगमात् । तदेवं प्रत्यक्षाद्यगृहीतप्रमेयाभावग्राहकत्वात् प्रमाणाभावः प्रमाणान्तरमिति । '' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy