SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ તર્કરહસ્યદીપિકા કર્મસિદ્ધાન્તની અધૂરી સમજમાંથી ઊભી થયેલી છે. કર્મ અનુસાર તો પુરુષને ભિન્ન ભિન્ન શક્તિવાળાં મન, શરીર અને બાહ્ય સાધનો પ્રાપ્ત થાય છે તેમજ તે ભિન્ન ભિન્ન વાતાવરણ અને પરિસ્થિતિમાં મુકાય છે એટલું જ, પરંતુ પ્રાપ્ત સાધનોનો ઉપયોગ કેમ અને કેવો કરવો તથા અમુક વાતાવરણ અને પરિસ્થિતિમાં કેવો પ્રત્યાઘાત આપવો એ તેના હાથની વાત છે એવું કર્મસિદ્ધાન્ત માને છે. વળી, પુરુષ પોતાના પ્રયત્નથી પૂર્વકર્મોની અસરો હળવી કે નષ્ટ કરી શકે છે એવું પણ કર્મસિદ્ધાન્તમાં સ્વીકારાયું છે. પુરુષ ઉપર કર્મનું નહિ પણ કર્મ ઉપર પુરુષનું આધિપત્ય છે – અલબત્ત પુરુષને તેનું ભાન થવું જોઈએ, તેનું ચિત્ત ચમકવું જોઈએ. કર્મસિદ્ધાન્ત નિરાશાવાદ કે અકર્મણ્યતા ભણી લઈ જતો નથી પરંતુ આશાવાદ અને પુરુષાર્થનો પોષક છે. પોતાનું કર્મ, પોતાનો પ્રયત્ન યોગ્ય ફળ પ્રાપ્ત કરાવે જ છે એવો વિશ્વાસ આપનાર કર્મસિદ્ધાન્ત છે. કર્મસિદ્ધાન્તમાં પુરુષપ્રયત્ન, સ્વતના ઇચ્છાશક્તિ, નૈતિક જવાબદારી, આત્મસુધારણા, સાધના સર્વને પૂરતો અવકાશ છે, એટલું જ નહિ પણ તે બધાંનો તે પોષક અને પ્રેરક છે. કર્મસિદ્ધાન્તની સાથે પુનર્જન્મનો અને જવાબદુત્વ – પુરુષબહુત્વનો સિદ્ધાન્ત અત્યન્ત ગાઢ રીતે જોડાયેલો છે. કેટલાક ભારતીય દર્શન ઉપર આક્ષેપ કરે છે કે તે નિરાશાવાદી છે. તેમનો આ આક્ષેપ ખરેખર સાચો નથી. ભારતીય દર્શન નિરાશાવાદી એ અર્થમાં છે કે તે સંસારને દુઃખમય માને છે. પરંતુ એ સમજી લેવું જોઈએ કે બધાં જ ભારતીય દર્શનો સંસારની દુઃખમયતાનું કારણ રાગદ્વેષને ગણે છે. રાગદ્વેષ હોતાં જે સંસાર છે તે જ રાગદ્વેષ ન હોતાં નિર્વાણ છે. તત્ત્વજ્ઞાન રાગદ્વેષને દૂર કરવા માટેનો ઉપાય છે. તત્ત્વજ્ઞાનની સાથે સાથે યોગનું અનુષ્ઠાન – યમ, નિયમ વગેરેનો અભ્યાસ – આવશ્યક છે. ભારતીય દર્શનો રાગદ્વેષ દૂર કરી દુઃખમુક્ત થવાનું કહે છે. તેઓ ગૃહીને માટે પણ તે શક્યતા સ્વીકારે છે. જે દર્શનો દુઃખ દૂર કરવામાં પ્રવૃત્ત થવાનો ઉપદેશ આપે તેમને નિરાશાવાદી કઈ રીતે કહી શકાય? જે દર્શનો સ્વીકારે છે કે જીવ સંપૂર્ણપણે દુઃખથી મુક્ત થઈ શકે છે તેમને નિરાશાવાદી કેવી રીતે ગણાવી શકાય? એટલું જ નહિ, જે દર્શનો સંપૂર્ણપણે દુઃખમુક્ત થવા માટેના ઉપાયો જણાવે છે તેમને નિરાશાવાદી કેમ મનાવી શકાય? દુઃખ છે એમ સ્વીકારવા છતાં ભારતીય દર્શનો ભારપૂર્વક જણાવે છે કે આત્યંતિક અને એકાન્તિક દુઃખમુક્તિ શકય છે જ, તેના ઉપાયો પણ છે જ અને ઉપાયોના અનુષ્ઠાનથી યોગ્ય ફળ મળે છે જ. પરિસ્થિતિ આવી હોઈ ભારતીય દર્શનોને નિરાશાવાદી તરીકે ઓળખવામાં બ્રાન્તિ છે. વળી ભારતીય દર્શનોમાં નિરાશાને બીજી રીતે સ્થાન નથી. પ્રયત્નનું ફળ દરેકને અવશ્ય મળે છે એવી બધાં દર્શનોની શ્રદ્ધા છે. એક જન્મમાં પ્રયત્ન કરવા છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy