SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૬૩ તર્કશાસ્ત્રની રીતિઓ આપે છે અને નિયમો સ્થાપે છે, ઈન્દ્રિયોનું વર્ગીકરણ કરે છે; અને જે પ્રક્રિયાઓથી અનુભવનું સામાન્ય જ્ઞાન થાય છે, જે પ્રક્રિયાઓથી અર્થઘટન થાય છે તેમ જ જે પ્રક્રિયાઓથી તે સમગ્રતયા જ્ઞાત થાય છે તે પ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે. પ્રમાણશક્તિની મર્યાદાનો પણ તે વિચાર કરે છે. જ્ઞાનનું યથાર્થ શું છે?, અને તે કેવી રીતે જાણી શકાય? – આવા પ્રશ્નો પણ તે ચર્ચે છે. પાશ્ચાત્ય દાર્શનિકોની જેમ ભારતીય દાર્શનિકો પણ નૈતિક મૂલ્યો અને આચારના ધોરણો વિશે પોતાના નિર્ણયો જાહેર કરે છે. બાહ્યાનુભવની સામગ્રીનું વિશ્લેષણ કરીને અને દશ્ય જગતના ધારકનિયામક સિદ્ધાન્તો વિશેનાં તારણો કાઢીને તેઓ વ્યાવહારિક જગતનાં દશ્ય પાસાઓનું અધ્યયન પણ કરે છે. પરંતુ તેમનું મુખ્ય ધ્યેય હમેશા માહિતી નહિ કિન્તુ પરિવર્તન રહ્યું છે – ધરમૂળથી માનવસ્વભાવનું પરિવર્તન અને તેની સાથે આન્તર અને બાહ્ય બન્ને વિશેની પોતાની સમજણનો પુનઃ સંસ્કાર, સંપૂર્ણ આધ્યાત્મિક પરિવર્તન, એક ભવમાં નવો અવતાર, આત્માનું નિકૃષ્ટ અશુદ્ધ સ્વભાવમાંથી શુદ્ધ સ્વભાવમાં પરિવર્તન – આ ભારતીય દર્શનનું તારક લક્ષ્ય છે. ભારતીય દર્શનમાં આપણે બુદ્ધિને ખુદને પોતાની પરીક્ષા કરતી જોઈએ છીએ. બુદ્ધિ જ પોતાની ક્ષુદ્રતાનું ભાન કરાવી બુદ્ધિથી પર પ્રજ્ઞાને પામવા સૂચવે છે. કર્મસિદ્ધાન્ત ચાર્વાક સિવાય બધાં જ ભારતીય દર્શનોનો પાયાનો સિદ્ધાન્ત છે. બધાં ભારતીય દર્શનોમાં એ વાત ઉપર સર્વસંમતિ છે કે વ્યક્તિ જે કર્મ કરે છે તે કર્મનું ફળ તેને મળે છે જ અને તેને જ મળે છે. શુભ કર્મનું ફળ સુખ છે અને અશુભ કર્મનું ફળ દુઃખ છે. જે કર્મનું ફળ વર્તમાન જન્મમાં મળતું નથી તે કર્મનું ફળ પછીના જન્મમાં મળે છે. જીવ પોતાના કર્મ અનુસાર વિવિધ યોનિઓમાં જન્મે છે. જ્યારે જીવ તૃષ્ણારહિત બની જાય છે ત્યારે તે ફલાસક્તિરહિત કર્મ કરે છે. નિષ્કામભાવે કરાતાં કર્મો બંધન નથી બનતાં. એ સ્થિતિમાં જીવને કેવળ પૂર્વજન્મોનાં કર્મોનાં ફળ ભોગવવા પડે છે. તેને પુનર્ભવ નથી. તે દેહપાત પછી મુક્ત બને છે. અન્તિમ જન્મમાં બધાં કર્મોનાં ફળો ખાસ પ્રક્રિયાથી તે ભોગવી લે છે. આ બધું સર્વસ્વીકૃત છે. કેટલાક કર્મસિદ્ધાન્ત પર આક્ષેપ કરે છે કે તે નિયતિવાદ અને નિરાશાવાદ ભણી લઈ જાય છે, તેમાં પુરુષસ્વાતન્યને (freedom of willને અવકાશ જ નથી. પૂર્વ કર્મોના કારણે પુરુષ અત્યારે જે કંઈ છે કે કરે છે તે છે અને કરે છે, અત્યારનાં કર્મો તેના ભાવિ વ્યક્તિત્વને નિયત કરશે અને આમ ચક્ર ચાલ્યા જ કરશે. પુરુષ સંપૂર્ણપણે પૂર્વકર્મોથી બદ્ધ છે, એટલું જ નહિ પણ તેમનાથી તેનો ચેતસિક અને શારીરિક વ્યવહાર– તેનું સંપૂર્ણ વ્યક્તિત્વ- નિયત છે. આમાં પુરુષસ્વાતત્યને અવકાશ ક્યાં રહ્યો ? વળી, આમાં મુક્તિનો સંભવ પણ ક્યાં રહ્યો ? આ શંકા યોગ્ય નથી. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy