SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિકમત ૬૧૫ છે. તે પણ મનોગ્રાહ્ય છે. પ્રયત્ન એ શરીર અને મનની ક્રિયાનો હેતુ છે. પ્રયત્ન એ આત્માનો એક જાતનો પરિસ્કંદ છે જે મન અને શરીરમાં ક્રિયાને પેદા કરે છે. એટલે પ્રયત્નના પર્યાયવાચક શબ્દો સંરમ્ભ અને ઉત્સાહ છે. ક્રિયાઓ બે પ્રકારની છે – (૧) ઇચ્છા યા દ્વેષને અધીન અને (૨) ઇચ્છા યા દ્વેષને અનધીન. પ્રથમ પ્રકારની ઇચ્છાદ્વેષપૂર્વકની ક્રિયાને voluntary કહી શકાય અને બીજા પ્રકારની ક્રિયાને involuntary કહી શકાય. જે ક્રિયા ઇચ્છાદ્વેષપૂર્વિકા નથી તે કેવળ જીવનપૂર્વિકા છે. જીવનનો અર્થ છે ધર્માધર્મસાપેક્ષ આત્મમનઃસંયોગ. મનસા સંચો ઞાત્મનો ટપેક્ષો નીવનમ્ । ઇચ્છાદ્વેષજન્ય ક્રિયાની ઉત્પત્તિમાં પણ અદૃષ્ટાપેક્ષ આત્મમનઃસંયોગ પણ એક કારણ હોય છે જ પરંતુ વધારામાં ઇચ્છા કે દ્વેષ પણ હોય છે. આ બન્ને પ્રકારની ક્રિયાઓનો પ્રેરક પ્રયત્ન છે. પ્રયત્ન આત્મામાં રહેતો આત્માનો વિશેષ ગુણ છે પરંતુ તેનાથી જન્ય ક્રિયા તે આત્મામાં ઉત્પન્ન થતી નથી પણ તે આત્માનો જે શરીર સાથે સંબંધ હોય છે તેમાં ઉત્પન્ન થાય છે તેમજ તે શરીરમાં રહેલા મનમાં ઉત્પન્ન થાય છે. आत्मनि समवेतः प्रयत्नो हस्तादिषु क्रियाहेतुः । ] 28. संस्कारो द्वेधा, भावना स्थितिस्थापकश्च । भावनाख्य आत्मगुणो ज्ञानजो ज्ञानहेतुश्च दृष्टानुभूतश्रुतेष्वर्थेषु स्मृतिप्रत्यभिज्ञानकार्योन्नीयमानसद्भावः । स्थितिस्थापकस्तु मूर्तिमद्रव्यगुणः स च घनावयवसंनिवेशविशिष्टं स्वमाश्रयं कालान्तरस्थायिनमन्यथाव्यवस्थितमपि प्रयत्नतः पूर्ववद्यथावस्थितं स्थापयतीति स्थितिस्थापक उच्यते । दृश्यते तालपत्रादेः प्रभूततरकालसंवेष्टितस्य प्रसार्यमुक्तस्य पुनस्तथैवावस्थानं संस्कारवशात् । एवं धनुःशाखाशृङ्गदन्तादिषु भुग्नापवर्तितेषु च वस्त्रादिषु तस्य कार्यं परिस्फुटमुपलभ्यते । 28. સંસ્કારના બે પ્રકાર છે ભાવના અને સ્થિતિસ્થાપક. અનુભવ આદિ નિશ્ચયાત્મક જ્ઞાનોથી ઉત્પન્ન થતો તથા સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન આદિ જ્ઞાનોને ઉત્પન્ન ક૨ના૨ો સંસ્કાર ભાવના છે. દેખેલા, સાંભળેલા અને અનુભવેલા અર્થોનાં સ્મરણ, પ્રત્યભિજ્ઞાન આદિ દ્વારા સંસ્કારનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, અનુમિત થાય છે. સંસ્કાર વિના સ્મરણ આદિ થઈ શકે નહિ. --- સ્થિતિસ્થાપક સંસ્કાર મૂર્ત પદાર્થોનો ગુણ છે. જેના કારણે ઘન અવયવોવાળી સ્થાયી વસ્તુને પ્રયત્નપૂર્વક બીજી સ્થિતિમાં રાખવા છતાં પણ પાછી જેવી સ્થિતિમાં પહેલાં હતી તે જ સ્થિતિમાં પાછી આવી જાય છે તે સ્થિતિસ્થાપક સંસ્કાર છે, અર્થાત્ પૂર્વવત્ સ્થિતિમાં વસ્તુને સ્થાપનારો સંસ્કાર સ્થિતિસ્થાપક છે. ઉદાહરણાર્થ, બહુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy