SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિકમત વિશેષ:। 23. બુદ્ધિ એટલે જ્ઞાન. જ્ઞાન પોતે પોતાને જાણતું નથી. જ્ઞાન બીજા જ્ઞાન વડે (અનુવ્યવસાય નામના માનસ પ્રત્યક્ષ વડે) જ્ઞાત થાય છે, ગૃહીત થાય છે. બુદ્ધિના બે પ્રકાર છે – વિદ્યા અને અવિદ્યા. અવિદ્યાના ચાર ભેદ છે – સંશય, વિપર્યય, અનધ્યવસાય અને સ્વપ્ન. વિદ્યાના પણ ચાર ભેદ છે – પ્રત્યક્ષ, લૈંગિક (અનુમાન), સ્મૃતિ અને આર્ષ. પ્રમાણના નિરૂપણના પ્રસંગે પ્રત્યક્ષ અને અનુમાનનું નિરૂપણ કરીશું. અતીત અર્થને (અર્થાત્ પૂર્વાનુભૂત અર્થને) વિષય કરનારી અર્થાત્ જાણનારી સ્મૃતિ છે. તે અનુભવ દ્વારા ગૃહીત અર્થને ગ્રહણ કરતી અર્થાત્ જાણતી હોવાથી ગૃહીતગ્રાહી છે, અને ગૃહીતગ્રાહી હોવાથી પ્રમાણ નથી.વ્યાસ આદિ મહર્ષિઓને અતીત, અનાગત, પરમ સૂક્ષ્મ પાપ-પુણ્ય આદિ અતીન્દ્રિય અર્થોનું ઇન્દ્રિયાદિની સહાયતા વિના પ્રતિભા દ્વારા જે સ્પષ્ટ પ્રાતિભ જ્ઞાન થાય છે તે આર્ષજ્ઞાન છે. આ પ્રાતિભ જ્ઞાન પ્રાયઃ ઋષિઓને જ થાય છે પરંતુ કોઈક વાર સામાન્ય જનોને પણ થાય છે, જેમ કે કોઈ કન્યા કહે છે કે ‘કાલે મારો ભાઈ આવશે, મારું હૃદય કહે છે કે તે અવશ્ય આવશે’ – આ કન્યાને થયેલું ભાઈના ભાવી આગમનનું જ્ઞાન પ્રાતિભ જ્ઞાન છે. પ્રાતિભ જ્ઞાન અર્થાત્ આર્ષ જ્ઞાન એક વિશિષ્ટ પ્રકારનું પ્રત્યક્ષ જ છે. [શરીરસંયોગસાપેક્ષ આત્મમનઃસંયોગથી આત્મામાં ઉત્પન્ન થતા વિષયપ્રકાશક ગુણને બુદ્ધિ કહેવામાં આવે છે. બુદ્ધિ અર્થાત્ જ્ઞાન આત્માના નવ વિશેષ ગુણોમાંનો એક વિશેષગુણ છે. બુદ્ધિ અનિત્ય છે, એટલું જ નહિ પણ ક્ષણિક છે. વૈશેષિકો ગુણ અને ગુણી (દ્રવ્ય)નો આત્યન્તિક ભેદ માનતા હોઈ બુદ્ધિની અનિત્યતા આત્માની ફૂટસ્થનિત્યતાને કંઈ અસર કરતી નથી. વૈશેષિકો આત્માને ફૂટસ્થનિત્ય માને છે. બુદ્ધિની ઉત્પત્તિ માટે શરીરસંયોગસાપેક્ષ આત્મમનઃસંયોગ જરૂરી છે. બુદ્ધિ ગુણ યાવદ્રવ્યભાવી નથી કારણ કે મુક્તિ અવસ્થામાં આત્મામાં બુદ્ધિ નથી. તે અવસ્થામાં મુક્તાત્માને શરીર પણ હોતું નથી અને મન પણ હોતું નથી, એટલે શરીરસંયોગસાપેક્ષ આત્મમનઃસંયોગ હોતો નથી, જે બુદ્ધિની ઉત્પત્તિ માટે જરૂરી છે. વળી, બુદ્ધિ અવ્યાપ્યવૃત્તિ છે કેમ કે બુદ્ધિ સાત્મકશરીરમાં જ હોય છે, શરીર બહારના આત્મામાં હોતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો શરીરાવચ્છિન્ન આત્મામાં જ બુદ્ધિ હોય છે. શરીરથી અનચ્છિન્ન આત્મામાં બુદ્ધિ હોતી નથી. વૈશેષિકો આત્માને વિભુ માને છે. કોઈને પ્રશ્ન થાય કે જો બુદ્ધિ આત્મામાં સદાકાળ ન રહેતી હોય અને આત્માને વ્યાપીને ન રહેતી હોય તો તેને આત્માનો વિશેષ ગુણ કેમ ગણાય ? તેને આત્માનો વિશેષ ગુણ એ અર્થમાં કહેવાય છે કે તે આત્મા સિવાય બીજા કોઈ દ્રવ્યમાં રહેતી નથી. Jain Education International ૬૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy