SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૦ તર્કરહસ્યદીપિકા બધી પ્રતીતિઓ કાલ દ્રવ્યનું અનુમાન કરાવતા લિંગો છે. “પિતા પહેલાં જન્મેલા છે (પર છે, ઉંમરમાં મોટા છે), પુત્ર પછી જન્મેલો છે (અપર છે, ઉંમરમાં નાનો છે), યુગપતુ યા ક્રમથી કાર્યો કર્યા યા કરશે, વિલંબથી કાર્ય કર્યું કે કરશે, શીધ્ર કાર્ય કર્યું કે કરશે' વગેરે પરાપરાદિ જ્ઞાનો સૂર્યગતિ તથા અન્ય દ્રવ્યોથી ઉત્પન્ન થતાં ન હોઈ કોઈ બીજા દ્રવ્યની અપેક્ષાથી ઉત્પન્ન થાય છે, કેમ કે સૂર્યગતિ આદિથી ઉત્પન્ન થતાં જ્ઞાનોથી આ જ્ઞાનો વિલક્ષણ છે. જેવી રીતે ઘટથી ઉત્પન્ન થતું “આ ઘટ છે' એવું જ્ઞાન સૂર્યગતિ આદિથી ભિન્ન ઘટ નામના પદાર્થની અપેક્ષા રાખે છે તેવી જ રીતે પરાપરાદિ જ્ઞાનો પણ સૂર્યગતિ આદિથી ભિન્ન કાલદ્રવ્યની અપેક્ષા રાખે છે. આમ પરાપરાદિ જ્ઞાનોનો હેતુ (કારણ) સૂર્યગતિ કે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, દિફ, આત્મા કે મન નથી એટલે બાકી રહેલો કાલ જ તેનો હેતુ છે એવો નિશ્ચય પરિશેષ અનુમાનથી થાય છે. કાલદ્રવ્ય એક, નિત્ય, અમૂર્ત અને વિભુ છે. 9. दिगपि द्रव्यमेका नित्यामूर्ता विभुश्च (विभ्वी च) । मूर्तेष्वेव हि द्रव्येषु मूर्तं द्रव्यमवधिं कृत्वेदमस्मात्पूर्वेण दक्षिणेन पश्चिमेनोत्तरेण पूर्वदक्षिणेन दक्षिणापरेणापरोत्तरेणोत्तरपूर्वेणाधस्तादुपरिष्टादित्यमी दशप्रत्यया यतो भवन्ति, सा दिगिति । एतस्याश्चैकत्वेऽपि प्राच्यादिभेदेन नानात्वं कार्यविशेषाद्वयवस्थितम् ।। 9. દિદ્રવ્ય પણ નિત્ય, એક, અમૂર્ત અને વિભુ છે. મૂર્તિ દ્રવ્યોમાં યા પદાર્થોમાં એક બીજાની અપેક્ષાએ આ આનાથી પૂર્વમાં છે, દક્ષિણમાં છે, પશ્ચિમમાં છે, ઉત્તરમાં છે, આગ્નેયકોણમાં છે, નૈઋત્યમાં છે, વાયવ્યમાં છે, ઈશાનમાં છે, ઉપર છે, નીચે છે– આ દસ જ્ઞાનો જેના નિમિત્તથી થાય છે તે દિફ છે. જો કે તે એક છે તેમ છતાં દસ પ્રકારનાં ઉપર જણાવેલાં જ્ઞાનો ઉપરથી તેના પૂર્વ આદિ દસ ભેદોનું અનુમાન થાય છે અને તેના અનેકત્વની આ રીતે વ્યવસ્થા થાય છે. 10. માત્મા નીવોને નિચોડમૂ વિમુચ્ચું વા 10. આત્મા એટલે કે જીવ નામનું દ્રવ્ય. તે નિત્ય છે, અમૂર્ત છે, વિભુ છે અને અનેક છે. 11. मनश्चित्तं, तच्च नित्यं द्रव्यमणुमात्रमनेकमाशुसंचारि प्रतिशरीरमेकं च । युगपज्ज्ञानानुत्पत्तिर्मनसो लिङ्गम्, आत्मनो हि सर्वगतत्वाद् युगपदनेकेन्द्रियार्थसंनिधाने सत्यपि क्रमेणैव ज्ञानोत्पत्त्युपलम्भादनुमीयते । आत्मेन्द्रियार्थसंनिकर्षेभ्यो व्यतिरिक्तं कारणान्तरं मनोऽस्तीति, यस्य संनिधाना Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy