SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૮ તર્કરહસ્યદીપિકા શ્લોકમાં “તથા” શબ્દ ભેદાન્તરસૂચક છે. ત્રીજું તત્ત્વ કર્મ છે અને ચોથું તત્ત્વ સામાન્ય છે. “ચતુર્થકમ્ શબ્દમાં “ક પ્રત્યયનો પ્રયોગ સ્વાર્થમાં થયો છે, અર્થાત્ ચતુર્થને જ ચતુર્થક કહે છે. પાંચમું તત્ત્વ વિશેષ છે અને છઠ્ઠ તત્ત્વ સમવાય છે. શ્લોકમાં “ય (અને)” શબ્દ સમુચ્ચયાર્થક છે, અને “તુ' શબ્દ નિશ્ચયવાચક છે અર્થાત્ તત્ત્વો છે જ છે–ચૂનાવિક નથી. “તન્મતે'નો અર્થ છે “વૈશેષિકમતમાં”. આ છ પદાર્થોમાં કેટલાંક દ્રવ્યો અને ગુણો નિત્ય જ છે જ્યારે કેટલાક દ્રવ્યો અને ગુણો અનિત્ય છે, કર્મપદાર્થ તો અનિત્ય જ છે, સામાન્ય, વિશેષ અને સમવાય નિત્ય જ છે. કેટલાક આચાર્યો અભાવને સાતમો પદાર્થ માને છે. (૬૦). 5. અથ દ્રવ્યમેવાનીतत्र द्रव्यं नवधा भूजलतेजोऽनिलान्तरिक्षाणि । कालदिगात्ममनांसि च गुणः पुनः पञ्चविंशतिधा ॥६१॥ 5. હવે આચાર્ય દ્રવ્યના ભેદો જણાવે છે– છ પદાર્થોમાં જે દ્રવ્ય છે તેના નવ પ્રકાર છે – (૧) પૃથ્વી, (૨) જલ,(૩) અગ્નિ, (૪) વાયુ, (૫) આકાશ, (૬) કાલ, (૭) દિશા, (૮) આત્મા અને (૯) મન ગુણના પચ્ચીસ પ્રકાર છે. (૬૧) 6. व्याख्या-तत्र-तेषु षट्सु पदार्थेषु द्रव्यं नवधा, व्यवच्छेदफलं वाक्यमिति न्यायानवधैव न तु न्यूनाधिकप्रकारम् । अत्र द्रव्यमिति जात्यपेक्षमेकवचनम्, एवं प्रागग्रे च ज्ञेयम्, ततो नवैव द्रव्याणीत्यर्थः । एतेन छायातमसो आलोकाभावरूपत्वान्न द्रव्ये भवत इत्युक्तम् । भूः पृथिवी, काठिन्यलक्षणा मृत्पाषाणवनस्पतिरूपा । जलमापः तच्च सरित्समुद्रकरकादिगतम् । तेजोऽग्निः, तच्च चतुर्धा- भौमं काष्ठेन्धनप्रभवम्, दिव्यं सूर्यविद्युदादिजम्, आहारपरिणामहेतुरौदर्यम्, आकरजं च सुवर्णादि । अनिलो वायुः । एतानि चत्वार्यनेकविधानि । 6. શ્લોકવ્યાખ્યા–તે છ પદાર્થોમાં દ્રવ્ય નવ પ્રકારનું છે. પ્રત્યેક વાક્ય નિશ્ચયાત્મક હોય છે, તેથી દ્રવ્યો નવ જ છે, વધુ કે ઓછાં નથી. દ્રવ્યો નવ હોવા છતાં દ્રવ્યમ' આ એકવચનનો પ્રયોગ દ્રવ્યત્વ જાતિની અપેક્ષાએ સમજવો જોઈએ. પૂર્વ શ્લોકમાં (૬૦મા શ્લોકમાં) અને પછી આગળ પણ જ્યાં એકવચનમાં દ્રવ્ય શબ્દનો પ્રયોગ થયો હોય ત્યાં દ્રવ્યત્વ જાતિની અપેક્ષાએ સમજવો જોઈએ. તેથી દ્રવ્યો નવ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy