SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૮ તર્કરહસ્યદીપિકા विरुद्धम् । आकाशादिभूतपञ्चकं स्वरादितन्मात्रेभ्यः सूक्ष्मसंज्ञेभ्य उत्पन्नं यदुच्यते तदपि नित्यैकान्तवादे पूर्वापरविरुद्धं कथं श्रद्धेयम् । यथा पुरुषस्य कूटस्थनित्यत्वान्न विकृतिर्भवति नापि बन्धमोक्षौ तथा प्रकृतेरपि न ते संभवन्ति कूटस्थनित्यत्वादेव, कूटस्थनित्यं चैकस्वभावमिष्यते ततो ये प्रकृतेर्विकृतिर्बन्धमोक्षौ चाभ्युपगम्यन्ते परैः, ते नित्यत्वं च परस्परविरुद्धानि । 463. સાંખ્યમતમાં સ્વવચનવિરોધ અર્થાત્ પૂર્વાપર વિરોધ આ પ્રમાણે છે – તેઓ જે પ્રકૃતિ યા પ્રધાનને નિરવયવ, નિષ્ક્રિય, નિત્ય, એક તથા અવ્યક્ત (મૂલ કારણ) માને છે તે જ પ્રકૃતિનું અનિત્ય, સાવયવ, સક્રિય, અનેક તથા વ્યક્ત એવા મહત, અહંકાર આદિ વિકારોરૂપે પરિણમન પણ માને છે. નિત્ય, નિષ્ક્રિય આદિ ધર્મોવાળી પ્રકૃતિ અનિત્ય, સક્રિય આદિ ધર્મોવાળા મહતું, અંહકાર આદિ વિકારોમાં પરિણમે કેવી રીતે ? આ તો સ્પષ્ટ જ સ્વવચનવિરોધ છે. વળી, અર્થના નિશ્ચયને જડ બુદ્ધિનો વ્યાપાર યા ધર્મ કહેવો તથા ચેતનાને અર્થાત પુરુષને વિષયોના જ્ઞાનથી રહિત માનવો એ તો લોકપ્રતીતિ અને અનુભવ બન્નેથી વિરુદ્ધ છે. જેનું નામ મહતું પણ છે તે બુદ્ધિ જડ છે, ચેતનાપ્રકાશથી શૂન્ય છે એમ સાંખ્યોનું માનવું પોતાની તેમ જ બીજાની અર્થાત્ સૌની પ્રતીતિની વિરુદ્ધ જાય છે. આવી પ્રતીતિ ન તો સાંખ્યોની પોતાની હોઈ શકે છે કે ન તો આપણી. ઉપરાંત, બુદ્ધિ તો અર્થનો નિશ્ચય (અધ્યવસાય) કરે છે. જો તે જડ અને ચૈતન્યશૂન્ય હોત તો તે અર્થાધ્યવસાયી ન હોત. વળી, સાંખ્યોએ શબ્દ, રૂપ, રસ આદિ સૂક્ષ્મ' નામવાળી પાંચ તન્માત્રાઓમાંથી આકાશ, અગ્નિ, જલ આદિ પાંચ મહાભૂતોની ઉત્પત્તિ માનવી એ તો તેમના એકાન્ત નિત્યતાવાદથી વિપરીત છે. સર્વથા નિત્યની બાબતમાં ઉત્પત્તિની વાત કરી શકાય નહિ. જેમ કૂટનિત્ય-સર્વથા અપરિણામી અને તેથી સદા એક જ સ્વભાવવાળા પુરુષમાં વિકાર તથા બલ્પ, મોક્ષ આદિ અવસ્થાભેદ નથી હોઈ શકતો તેમ પ્રકૃતિમાં પણ વિકાર તથા બન્ય, મોક્ષ આદિ નથી ઘટતા કેમ કે તે કૂટનિત્ય છે. સદા એક સ્વભાવ ધરાવનાર વસ્તુ કૂટસ્થનિત્ય કહેવાય છે. તેથી સાંખ્યોએ પ્રકૃતિ નિત્ય પણ માનવી અને સાથે સાથે તેમાં વિકારો તથા બન્ધ અને મોક્ષ પણ માનવા એ તો પરસ્પર વિરોધી વાત છે. સાંખ્યમતમાં પુરુષ કૂટનિત્ય છે, પ્રકૃતિ પરિણામિનિત્ય છે. પુરુષ દ્રષ્ટા છે, બુદ્ધિ જ્ઞાતા છે. પુરુષનો ધર્મ દર્શન છે, બુદ્ધિનો ધર્મ જ્ઞાન છે. પુરુષમાં ચેતનાનો પ્રકાશ છે, બુદ્ધિમાં સત્ત્વગુણનો પ્રકાશ છે.] 464. મીમાંસી પુનરેવં સ્ત્રમતવિરોધ: – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy