SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૫૮૧ પરમાણુપુંજમાં અર્થક્રિયા (જલધારણાદિ) બૌદ્ધ મતે પણ ઘટતી નથી. અને જલધા૨ણ અર્થક્રિયા ઘટ કરે છે, માટે તેને ૫૨માણુપુંજ માત્ર કેવી રીતે કહેવાય ? એક બાજુ ઘટને પરમાણુસમુદાય માત્ર કહેવો અને બીજી બાજુ ઘટ જલધારણાદિ અર્થક્રિયા કરે છે એમ કહેવું એ તો પૂર્વાપર વિરોધ જ છે. 452. અથ નૈયાયિવૈશેષિમતયો: પૂર્વાપરતો વ્યાહતત્વ વર્યંતે । सत्तायोगः सत्त्वमित्युक्त्वा सामान्यविशेषसमवायानां सत्तायोगमन्तरेणापि सद्भावं भाषमाणानां कथं न व्याहतं वचो भवेत् । 452. હવે અમે નૈયાયિકમત અને વૈશેષિકમતમાં પૂર્વાપર વિરોધ દર્શાવીએ છીએ. એક તરફ તેઓ કહે છે કે જેનો સત્તા સાથે યોગ (સંબંધ) હોય તે સત્ છે અને બીજી તરફ તેઓ જેમનો સત્તા સાથે યોગ નથી તે સામાન્ય, વિશેષ અને સમવાયને પણ સત્ કહે છે અર્થાત્ તેમનો સદ્ભાવ છે એમ કહે છે – આ તેમનો સ્વવચનવિરોધ નથી શું ? [ન્યાય-વૈશેષિક મતે દ્રવ્ય, ગુણ અને કર્મમાં સત્તા સાક્ષાત્ સમવાયસંબંધથી રહે છે જ્યારે સામાન્ય, વિશેષ અને સમવાયનો સત્તા સાથેનો સંબંધ સાક્ષાત્ સમવાયથી નથી પણ બીજી રીતે છે. જેમાં સત્તા સમવાયસંબંધથી રહે છે તેમાં સામાન્ય અને વિશેષ પણ સમવાય સંબંધથી રહે છે. આમ સત્તા, સામાન્ય અને વિશેષ ત્રણેય એકાર્થસમવેત છે એટલે સામાન્ય અને વિશેષનો સત્તા સાથે એકાર્થસમવેતત્વરૂપ સંબંધ છે. સત્તા જેમાં સમવાયસંબંધથી રહે છે તેમાં સમવાય સમવાયસંબંધથી રહેતો નથી પરંતુ તેનું અસ્તિત્વ (વૃત્તિ) તો ત્યાં હોય છે જ. આમ સત્તા અને સમવાય બન્ને વચ્ચે એકાર્થવૃત્તિરૂપ સંબંધ છે અર્થાત્ સમવાયનો સત્તા સાથે એકાર્થવૃત્તિરૂપ સંબંધ (યોગ) છે. આમ દ્રવ્ય, ગુણ અને કર્મનો સત્તા સાથે યોગ(સંબંધ) સાક્ષાત્ સમવાય સંબંધથી છે જ્યારે સામાન્ય, વિશેષ અને સમવાયનો સત્તા સાથે યોગ સાક્ષાત્ સમવાયસંબંધથી નથી પરંતુ એકાર્થસમવેતત્વરૂપ અને એકાર્થવૃત્તિરૂપ સંબંધોથી છે. દ્રવ્યાની સમવાય एव सामान्यविशेषयोरेकार्थसमवायः समवाये एकार्थवृत्तित्वं सम्बन्धोऽस्त्येव । કિરણાવલીભાસ્કર, સરસ્વતી ભવન ટેકસ્ટ્સ, પૃ. ૪૪.] 453. ज्ञानं स्वात्मानं न वेत्ति स्वात्मनि क्रियाविरोधादित्यभिधायेश्वरज्ञानं स्वात्मनि क्रियाविरोधाभावेन स्वसंवेदितमिच्छतां कथं न स्ववचनविरोधः । प्रदीपोऽप्यात्मानमात्मनैव प्रकाशयन् स्वात्मनि क्रियाविरोधं व्यपाकरोति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy