SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૦ તર્કરહસ્યદીપિકા स सांशं वस्तु यन्न मन्यते तदपि पूर्वापरविरुद्धम् । 450. ઉપરાંત, બૌદ્ધો વસ્તુને નિરંશ કહીને હેતુનાં ત્રણ રૂપો છે એમ કહે છે અને સંશયજ્ઞાનમાં બે વિરોધી આકારો છે એમ કહે છે – આ તો પૂર્વાપર વિરુદ્ધ વાતો થઈ. 451. तथा परस्परानाश्लिष्टा एवाणवः प्रत्यासत्तिभाजः समुदिता घटादिरूपतया प्रतिभासन्ते न पुनरन्योन्यमङ्गाङ्गिभावरूपेणारब्धस्कन्धकार्यास्ते इति हि बौद्धमतम् । तत्र चामी दोषाः । परस्परपरमाणूनामनाश्लिष्टत्वाद्घटस्यैकदेशे हस्तेन धार्यमाणे कृत्स्त्रस्य घटस्य धारणं न स्यात्, उत्क्षेपावक्षेपापकर्षाश्च तथैव न भवेयुः । धारणादीनि च घटस्यार्थक्रियालक्षणं सत्त्वमङ्गीकुर्वाणैः सौगतैरभ्युपगतान्येव तानि च तन्मतेऽनुपपन्नानि । ततो भवति पूर्वापरयोर्विरोधः । 451. બૌદ્ધોનો આ સિદ્ધાન્ત છે કે – ઘટ આદિ ધૂળ પદાર્થોનું વાસ્તવિક અસ્તિત્વ નથી. ઘટ આદિ ધૂળ પદાર્થ તો પરસ્પર અસંબદ્ધ પરંતુ એકબીજાની અત્યંત સમીપ રહેલા પરમાણુઓનો એક પુંજ છે, એક સમુદાય છે. પરમાણુઓ અંગાંગિભાવ–ગૌણમુખ્યભાવ–ધારણ કરીને પરસ્પર સાપેક્ષ બનીને સ્કન્ધરૂપ કાર્યને ઉત્પન્ન કરતા નથી. પરમાણુઓનો પુંજ યા સમુદાય જ ઘટ, પટ, આદિ સ્કૂલ પદાર્થોના રૂપમાં આપણા જ્ઞાનમાં ભાસે છે. પરમાણુઓ અસંબદ્ધ હોવા છતાં એટલા બધા એકબીજાની સમીપ હોય છે કે તેના કારણે તેમનો પૃથક પૃથક સ્વતંત્ર પ્રતિભાસ થતો નથી પણ તેઓ સ્થળ અને સ્થિરરૂપે પ્રતિભાસિત થાય છે, બૌદ્ધોના આ પરમાણુjજવાદમાં અર્થાત્ પરમાણુસમુદાયવાદમાં આ નીચે જણાવેલા દોષો છે – જો ઘટ નામનું એક સ્કલ્પરૂપ કાર્ય ન હોય અને કેવળ પરમાણસમુદાય જ હોય તો ઘડાને તેના મુખથી ઉપાડવા જતાં આખો ઘડો ન ઉપડે પણ હાથમાં તેટલા પરમાણુઓ જ આવે જેટલા પરમાણુઓને હાથે પકડ્યા છે. તેવી જ રીતે આખા ઘડાને ઉચકીને ઊંચે કે નીચે લઈ જઈ ન શકાય કે આમ તેમ હલાવી ન શકાય કેમ કે તેમ કરવા જતાં તો પરમાણુઓનો સમુદાય વખરી જાય અને ઘડો નાશ પામી જાય (કારણ કે બૌદ્ધ મતે પરમાણુસમુદાય જ ઘટ છે.) વળી જો ઘડો કેવળ પરમાણસમુદાય જ હોય તો તે પાણીને ધારણ ન કરી શકે, અર્થાત્ તેમાં પાણી ન ભરી શકાય. પરંતુ બૌદ્ધો તો સ્વીકારે છે કે ઘડો જલધારણ આદિ અર્થક્રિયા કરે છે જે અર્થક્રિયા ખરેખર ઘડાનું સત્ત્વ છે. આમ એક તરફ સના લક્ષણરૂપ અર્થક્રિયા (જલધારણ) ઘટમાં માનવી અને બીજી તરફ ઘટને કેવળ પરમાણુપુંજ કહી તેના સત્ત્વનો નિષેધ કરવો એમાં પરસ્પર વિરોધ સ્પષ્ટ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy