SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૫૨૭ અસત્ત્વ બન્ને ધર્મોની પ્રતીતિ થાય છે જ. જેવી રીતે એક જ ફળમાં રૂપ, રસ જ્યારે સ્પષ્ટ અનુભવાય છે ત્યારે તેમનામાં વૈયધિકરણ્યની આપત્તિ આવતી નથી તેવી જ રીતે જ્યારે એક જ વસ્તુમાં સત્ત્વ અને અસત્ત્વનો સાફ સાફ સ્પષ્ટ અનુભવ થાય છે ત્યારે તેમનામાં વૈયધિકરણ્યનો દોષ આપવો કોઈ પણ રીતે ઉચિત નથી, વૈયધિકરણ્યની આપત્તિ આપી શકાય જ નહિ. 396. संकरव्यतिकरावपि मेचकज्ञानदृष्टान्तेन निरसनीयौ । यथा मेचकज्ञानमेकमप्यनेकस्वभावं, न च तत्र संकरव्यतिकरौ, एवमत्रापि । किंच यथानामिकाया युगपन्मध्यमाकनिष्ठिकासंयोगे ह्रस्वदीर्घत्वे न च तत्र संकरादिदोषः एवमत्रापि । 396, અનેકાન્તમાં તમે આપેલા સંકર અને વ્યતિકર દોષો પણ નથી. તે બન્ને દોષોનો નિરાસ આ પ્રમાણે થાય છે. જેવી રીતે અનેક રંગોનો એક ચિત્ર પ્રતિભાસ ઉત્પન્ન કરનાર મેચકરત્નનું જ્ઞાન એક હોવા છતાં અનેક સ્વભાવોવાળું યા આકારોવાળું છે પરંતુ તેના આકારો ન તો એક બીજાનું રૂપ ધરાવતા બની જાય છે કે ન તો એક જ રૂપથી તેમની યુગપત્ પ્રાપ્તિ થાય છે, તેવી જ રીતે વસ્તુને સત્ત્વ, અસત્ત્વ આદિ અનેક ધર્મોવાળી માનવા છતાં પણ સંકર કે વ્યતિકર દોષો આવતા નથી. ટચલી આંગળીની (કનિષ્ઠિકાની) પાસે આવેલી અનામિકા આંગળી મધ્યમા આંગળીથી નાની છે પણ ટચલી આંગળીથી મોટી છે, અહીં અનામિકામાં એક સાથે નાનાપણું અને મોટાપણું હોવામાં સંકર યા વ્યતિકર દોષ છે જ નહિ. તેવી જ રીતે એક વસ્તુમાં સત્ત્વ અને અસત્ત્વ બન્ને ધર્મ હોવામાં કોઈ જ દોષ નથી. 397. તથા યવ્પવાતિ ‘પત્તાફેરવ્વનનાવિરૂપતા' કૃત્યાવિ; તપિ महामोहप्रमादिप्रलपितप्रायम्; यतो जलादेः स्वरूपापेक्षया जलादिरूपता न पररूपापेक्षया, न ततो जलार्थिनामनलादौ प्रवृत्तिप्रसङ्गः, स्वपरपर्यायात्मकत्वेन सर्वस्य सर्वात्मकत्वाभ्युपगमात्, अन्यथा वस्तुस्वरूपस्यैवाघटमानत्वात् । 397. તમે જે ‘જલમાં પણ અગ્નિરૂપતાની આપત્તિ’ આપી છે તે તો તીવ્ર મોહથી મૂઢ અજ્ઞાનીના પ્રલાપ જેવી જ છે, કેમ કે જલ આદિ પદાર્થોમાં પોતાનાં જલસ્વરૂપ આદિની દૃષ્ટિએ જલરૂપતા આદિ છે અને નહિ કે અગ્નિ આદિ પરરૂપની અપેક્ષાએ. તેથી જલાર્થી અગ્નિને પીવા માટે શા માટે દોડે ? પાણી પાણીરૂપે સત્ છે અને નહિ કે અગ્નિરૂપે. જગતની પ્રત્યેક વસ્તુમાં અસ્તિત્વરૂપે સ્વપર્યાયો રહેલા છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy