SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૪૯ બે અત્યન્ત ભિન્ન વસ્તુઓને કોઈ કદીય જુદી કરી બન્નેને જુદા જુદા દેશમાં મૂકી શકવા શક્તિમાન નથી તેવી બે વસ્તુઓ (અયુતસિદ્ધો) વચ્ચેનો નિત્ય સંબંધ તે સમવાય છે.' આ સંબંધ અવયવ અને અવયવી, ગુણ અને ગુણી, ક્રિયા અને ક્રિયાવાનુ. જાતિ અને વ્યક્તિ તથા નિત્યદ્રવ્ય અને વિશેષ વચ્ચે હોય છે. તે એક અને નિત્ય છે. અભાવ- કોઈ વસ્તુનું ન હોવું તે તે વસ્તુનો અભાવ છે. તેના ચાર પ્રકાર છે – પ્રાગભાવ, પ્રધ્વસાભાવ, અત્યંતાભાવ અને અન્યોન્યાભાવ. આ સાતેય પદાર્થો ન્યાયદર્શનના “પ્રમેય પદાર્થમાં સમાવેશ પામે છે. વૈશેષિક અનુસાર સ્વતંત્ર પ્રમાણો બે જ છે – પ્રત્યક્ષ અને અનુમાન. ઉપમાન વગેરે બીજાં પ્રમાણોનો સમાવેશ આ બેમાં જ થઈ જાય છે. - પ્રાચીન વૈશેષિકદર્શન ઈશ્વરને માનતું ન હતું. કણાદના વૈશેષિકસૂત્રોમાં ઈશ્વરનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. તેથી સાંખ્યકારિકા પરની યુક્તિદીપિકાટીકાના કર્તા(ઈ.સ.ની છઠ્ઠી શતાબ્દી) સ્પષ્ટપણે જણાવે છે કે સૂત્રકાર કણાદના મતે ઈશ્વરનું અસ્તિત્વ નથી. સૃષ્ટિ અને પ્રલયની કલ્પના સાથે નિત્યમુક્ત જગત્કર્તા મહેશ્વરની વિભાવના વૈશેષિકદર્શનના ઉપલબ્ધ ગ્રન્થોમાં સૌપ્રથમ આપણને પ્રશસ્તપાદના પદાર્થધર્મસંગ્રહમાં (ઈ.સ. છઠ્ઠી શતાબ્દીમાં) મળે છે. તેથી યુક્તિદીપિકાકાર જણાવે છે કે પાશુપત ભક્તોએ પાછળથી વૈશેષિકદર્શનમાં ઈશ્વરની વિભાવના દાખલ કરી (૧૨) ન્યાયદર્શન ન્યાયદર્શન એ મુખ્યપણે તર્કશાસ્ત્ર છે. તે સોળ પદાર્થોની ચર્ચા કરે છે. તે સોળ પદાર્થો છે – પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દષ્ટાન્ત, સિદ્ધાન્ત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાન.' ૧. પ્રમાણ – યથાર્થ ઉપલબ્ધિ (જ્ઞાન) પ્રમાણ છે. ઉપલબ્દિનો અર્થ છે સ્મૃતિ સિવાયનું જ્ઞાન. સ્મૃતિ પ્રમાણ નથી. પ્રમાણો ચાર છે – પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ. જ્ઞાનની યથાર્થતા (પ્રામાણ્ય - validity) અને અયથાર્થતાનું ૧. મયુતસિદ્ધાનામધાર્યાધારભૂતાનાં : સબ્ધ ... સ સમવાય: IT પ્રશસ્તપાદભાષ્ય. ૨. ભાષાપરિચ્છેદ, કારિકા ૧૨-૧૩. ૩. ભાવાર્યેળ તુ નો, તમતું સૂત્રકૃમિતે નાસ્તીશ્વર: યુક્તિદીપિકા. કા.પ. ૪. પર્વ ાળાનાણીથોડતીતિ પાશુપતોપજ્ઞનું ! યુક્તિદીપિકા (કલકત્તા, ૧૯૩૩) પૃ. ૮૫-૮૮. ૫. ન્યાયસૂત્ર. ૧.૧.૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy