SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ४८४ તર્કરહસ્યદીપિકા 338. જ્ઞાનતોfપ ઘટસ્થ પ્રાદઃ સર્વનવાનામજોઈત્યાદ્વિજ્ઞાનેન્દ્રિમङ्गाद्यज्ञानैश्च स्पष्टास्पष्टस्वभावभेदेन ग्रहणाद्ग्राह्यस्याप्यवश्यं स्वभावभेदः संभवी, अन्यथा तद्ग्राहकाणामपि स्वभावभेदो न स्यात्तथा च तेषामैक्यं भवेत् । ग्राह्यस्य स्वभावभेदे च ये स्वभावाः ते स्वधर्माः । सर्वजीवानामपेक्षयाल्पबहुबहुतराद्यनन्तभेदभिन्नसुखदुःखहानोपादानोपेक्षागोचरेच्छापुण्यापुण्यकर्मबन्धचित्तादिसंस्कारक्रोधाभिमानमायालोभरागद्वेषमोहाद्युपाधिद्रव्यत्वलुठनपतनादिवेगादीनां कारणत्वेन सुखादीनामकारणत्वेन वा घटस्यानन्तधर्मत्वम् । | 338. જ્ઞાનની દૃષ્ટિએ તે જ ઘડો જગતના અનન્ત જીવોના અનન્ત પ્રકારના મતિજ્ઞાન આદિ જ્ઞાનો અને વિર્ભાગજ્ઞાન આદિ અજ્ઞાનોનો સ્પષ્ટ કે અસ્પષ્ટ રૂપે વિષય બને છે. ગ્રાહક જ્ઞાનમાં ભેદ થતાં તેની અપેક્ષાએ ગ્રાહ્યમાં અર્થાત વિષયભૂત પદાર્થમાં પણ ભેદ થાય છે જ. જો ગ્રાહ્ય પદાર્થ એકરૂપ જ રહે તો તેને ગ્રહણ કરનાર અર્થાત્ જાણનાર જ્ઞાનોમાં પણ સ્વભાવભેદ નહિ થાય, તેઓ એકરૂપ જ બની જાય. આ રીતે ઘડાને જાણનારા અનન્તજ્ઞાનોની અપેક્ષાએ ઘડામાં પણ અનન્ત સ્વભાવભેદ છે અને તે બધા તેના સ્વધર્મો છે. એક જ ઘડો કોઈને અલ્પ, કોઈને બહુ, કોઈને બહુત આદિ સુખ ઉત્પન્ન કરે છે. આમ અનન્ત જીવોમાં અનન્ત પ્રકારનાં સુખ-દુઃખને ઉત્પન્ન કરવાના કારણે, અનન્ત જીવોની હાન-ઉપાદાન-ઉપેક્ષા બુદ્ધિઓનો વિષય હોવાના કારણે, અનન્ત જીવોની અનન્ત ઈચ્છાઓનું આલંબન બનવાના કારણે, અનન્ત પ્રકારનાં પુણ્યો અને પાપોના બન્ધોનું કારણ બનવાના કારણે, અનન્ત જીવોનાં પોતપતાનાં ચિત્તોમાં ભિન્ન ભિન્ન અનન્ત પ્રકારના સંસ્કારો પાડવાના કારણે, ઘડાને જોઈને કોઈને ક્રોધ, કોઈને માન, કોઈને માયા તથા કોઈને લોભ થાય છે–આમ ભિન્ન ભિન્ન વ્યક્તિઓમાં ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહઆદિ વિકારભાવોની ઉત્પત્તિમાં નિમિત્ત બનવાના કારણે, ગબડવું, પડવું વગેરેમાં તથા વેગ વગેરેમાં કારણ હોવાના કારણે, અથવા કોઈના સુખ આદિનું નિમિત્ત ન બનવાના કારણે તે એકનો એક ઘડો અનન્ત સ્વભાવવાળો યા અનન્ત ધર્મવાળો બને છે. [339. તૈમુત્વે તુ પુરપ ચમેલન પ્રોવાને . 339. સ્નેહત્વ(ચીકણાપણું) અને ગુરુવ (ભારેપણું) તો સ્પર્શના જ ભેદો છે, તેથી સ્પર્શનું નિરૂપણ કરતી વખતે તેમની અપેક્ષાએ સ્વપર્યાયો અને પરપર્યાયોનું નિરૂપણ કરી જ દીધું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy