SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ તર્કરહસ્યદીપિકા त्वेनानेके स्वधर्माः, घटादितत्तच्छब्दानभिधेयेभ्योऽपरद्रव्येभ्यो व्यावृत्तत्वेनानन्ताः परधर्माः । अथवा तस्य घटस्य ये ये स्वधर्मा उक्ता वक्ष्यन्ते च तेषां सर्वेषां वाचका यावन्तो ध्वनयस्तावन्तो घटस्य स्वधर्मा, तदन्यवाचकाश्च परधर्माः । संख्यातश्च घटस्य तत्तदपरापरद्रव्यापेक्षया प्रथमत्वं द्वितीयत्वं तृतीयत्वं यावदनन्ततमत्वं स्यादित्यनन्ताः स्वधर्माः, तत्तत्संख्यानभिधेयेभ्यो व्यावृत्तत्वेनानन्ताः परधर्माः । अथवा परमाणुसंख्या पलादिसंख्या वा यावती तत्र घटे वर्तते सा स्वधर्मः, तत्संख्यारहितेभ्यो व्यावृत्तत्वेनानन्ताः परपर्यायाः । अनन्तकालेन तस्य घटस्य सर्वदव्यैः समं संयोगवियोगभावेनानन्ताः स्वधर्माः, संयोगवियोगाविषयीकृतेभ्यो વ્યાવૃત્તસ્થાનના: પરીશ . 335. અથવા જે સુવર્ણ દ્રવ્યનો ઘડો બનેલો છે તે સુવર્ણ દ્રવ્યમાં અનાદિ કાળથી પાંચે રંગો, બેય ગન્ધ, છયે રસો તથા આઠેય સ્પર્શી તરતમભાવે અનન્ત પ્રકારના થાય છે. તેમાંથી જે જાતિના રંગ, રસ, ગન્ધ તથા સ્પર્શ હોય તેની અપેક્ષાએ તેના અનન્ત સ્વધર્મ તથા જે રંગ આદિ તેનામાં ન હોય તેમની અપેક્ષાએ તેના અનન્ત પરધર્મ સમજી લેવા, કેમ કે તે અનન્ત પ્રકારના રંગ આદિથી તે વ્યાવૃત્ત થાય છે. ઘડો ગોળો, ગાગર, માટલું, કલશ આદિ અનેક શબ્દોથી વિભિન્ન પ્રદેશોમાં ઓળખાય છે. આમ અનેક શબ્દો દ્વારા વાચ્ય હોવાથી ઘટના અનેક સ્વધર્મો થશે અને જે પટ આદિ અનન્ત પદાર્થોમાં ઘટવાચક શબ્દોનો પ્રયોગ નથી થતો તે બધા પદાર્થોથી ઘડો વ્યાવૃત્ત હોય છે, તેથી ઘટના અનન્ત પરધર્મો હોય છે. અથવા ઘડાના જેટલા સ્વધર્મો કહેવાયા છે તથા કહેવાશે તેમના વાચક જેટલા પણ શબ્દો છે તેટલા જ ઘડાના સ્વધર્મો છે તથા તે વાચક શબ્દોથી અન્ય જેટલા શબ્દો છે તેટલા જ ઘડાના પરધર્મો છે. સંખ્યાની અપેક્ષાએ પણ ઘડાના સ્વધર્મો અને પરધર્મોનો આ રીતે વિચાર કરવો જોઈએ. ભિન્ન ભિન્ન દ્રવ્યોની અપેક્ષાએ ઘડામાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો એમ અનન્તસંખ્યા સુધી વ્યવહાર થઈ શકે છે, તે બધા ઘડાના સ્વધર્મો છે તથા આ સંખ્યાઓના અવિષયભૂત પદાર્થોથી ઘડો વ્યાવૃત્ત હોવાના કારણે તે બધા ઘડાના પરધર્મો છે. અથવા ઘડાના પરમાણુઓની જેટલી સંખ્યા છે અથવા ઘડાના વજનની રતીઓની જેટલી સંખ્યા છે તે સંખ્યા ઘડાનો સ્વધર્મ અને તે સંખ્યા જે અનન્ત પદાર્થોમાં નથી તે બધા ઘડાના પરધર્મો છે કેમ કે તે બધા પદાર્થોથી ઘડો વ્યાવૃત્ત થાય છે. અનન્ત કાળથી તે ઘડાનો બધાં દ્રવ્યોની સાથે સંયોગ અને વિભાગ થતો રહ્યો છે, તેથી તે બધા સંયોગો અને વિભાગો ઘડાના સ્વધર્મો છે, અને જેમનામાં તે સંયોગો અને વિભાગો નથી તે અનન્ત પદાર્થોથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy