SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા સાંખ્યમાં અવિદ્યાનો અર્થ છે પ્રકૃતિ-પુરુષનો અવિવેક જ્યારે વિદ્યા એ તેમનો વિવેક છે. આ વિવેકજ્ઞાન જ મોક્ષનો ઉપાય છે. - સાંખ્ય એક જન્મમાંથી બીજા જન્મમાં સંસ્કારોના વાહકરૂપ સૂક્ષ્મશરીરને સ્વીકારે છે. તે સર્ગથી લઈને પ્રલય સુધી પ્રવાહરૂપે એક જ છે. તેના પ્રવાહનો વિચ્છેદસર્ગ દરમ્યાન થતો નથી. તેના ઘટકો બુદ્ધિ (મહત)થી લઈને પાંચતત્પાત્રો સુધીનાં તત્ત્વો છે. સાંખ્યદર્શનની પ્રક્રિયામાં ઈશ્વરને સ્થાન નથી. (૧૦) યોગદર્શન અવિદ્યા યા અવિવેક તુચ્છ નથી. તેને દૂર કરવા સાધના અર્થાત્ યોગ જરૂરી છે. આ સાધનામાર્ગનું નિરૂપણ પાતંજલ યોગદર્શનમાં છે. તેમાં યોગનાં આઠ અંગો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનું વિશદ વર્ણન છે. લૌકિક કે અલૌકિક ચીજોની કે શક્તિઓની પ્રાપ્તિની આકાંક્ષા રાખ્યા વિના કેવલ રાગ-દ્વેષ આદિ ક્લેશોથી મુક્ત થવાના પ્રયોજનથી જ આ આઠેય અંગોનો સતત અભ્યાસ કરવામાં આવે તો વિવેકજ્ઞાનનો ઉદય થાય છે. આ વિવેકજ્ઞાન જ તેના વિરોધી અવિવેકને દૂર કરવા સમર્થ છે. યોગદર્શન અદ્ભુત ચિત્તશાસ્ત્ર છે. ચિત્ત વિશે અનેક મહત્ત્વની વિચારપ્રેરક ચર્ચાઓ આ શાસ્ત્રમાં છે. તેમાં ચિત્ત, ચિત્તભૂમિઓ, ચિત્તવૃત્તિઓ, ચિત્તવૃત્તિનિરોધના ઉપાયો, ચિત્તશુદ્ધિના ઉપાયો, ધ્યાનના પ્રકારો, સમાધિના ભેદો, ક્લેશો, ક્લેશોની અવસ્થાઓ, કર્મસિદ્ધાન્ત, બાહ્યાર્થસિદ્ધિ, વિભૂતિઓ વગેરેનું વિશદ નિરૂપણ અને વિશ્લેષણ છે. બાકી યોગના દાર્શનિક સિદ્ધાન્તો તો સાંગના જ છે. સાધકના ધ્યાનના અનેક વિષયોમાંના એક વિષય તરીકે ઈશ્વરનો સ્વીકાર યોગદર્શને કરેલો છે. (૧૧) વૈશેષિકદર્શન વૈશેષિકદર્શન માત્ર બાહ્યાર્થવાદી નથી પરંતુ તે આત્તિક બાહ્યાર્થવાદી છે. તે વસ્તુઓને જ્ઞાનબાહ્ય માને છે એટલું જ નહિ પણ તે પ્રતીતિભેદે વસ્તુભેદ યા પદાર્થભેદ માને છે. આમ જેટલા પ્રતીતિઓના પ્રકાર તેટલા જ બાહ્ય જગતમાં પદાર્થોના પ્રકાર તે સ્વીકારે છે. પ્રતિભાસનો અર્થાત્ જ્ઞાનનો અતિશય (વધારો) બાંહ્ય વિષયના અતિશય વિના સંભવતો નથી એ વૈશેષિક સિદ્ધાન્ત છે. બાહ્ય પદાર્થો સાત છે – દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ. દ્રવ્ય–જેમાં ગુણ અને કર્મ રહે છે તેમજ જે કાર્યનું સમવાયી કારણ બને છે તે ૧. દિ વિષથતિશયમન્તરે પ્રતિમાસતિશયોડવા ન્યાયમંજરી, ભાગ ૧, પૃ.૧૨૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy