SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ તર્કરહસ્યદીપિકા त्प्रमाणान्तरत्वेन परपरिकल्पितानां यथालक्षणं प्रत्यक्षपरोक्षयोरन्तर्भावो निराकरणं च विधेयम् । तदेवं न प्रत्यक्षपरोक्षलक्षणद्वैविध्यातिक्रम शक्रोऽपि कर्तु क्षमः । 319. આ જ રીતે યુક્તિ અને અનુપલબ્ધિનો પ્રત્યક્ષ અને પરોક્ષ આ બે જ પ્રમાણમાં સમાવેશ કરી લેવો જોઈએ. યુક્તિ જો અવિનાભાવસંબંધવાળી હોય તો તેનો સમાવેશ અનુમાનમાં થશે અને જો અવિનાભાવસંબંધવાળી ન હોય તો તે પ્રમાણરૂપ જ નથી એટલે સમાવેશનો પ્રશ્ન જ નથી. અનુપલબ્ધિ તો અભાવપ્રમાણરૂપ હોવાથી તેનો સમાવેશ યથાસંભવ પ્રત્યક્ષાદિમાં થઈ જશે. આદિ શબ્દથી અન્ય મતવાદીઓએ સ્વીકારેલાં અન્ય પ્રમાણોનો પણ પ્રત્યક્ષ અને પરોક્ષ આ બે પ્રમાણમાં અન્તર્ભાવ કરવો જોઈએ. વૃદ્ધ નૈયાયિકો અને સ્મૃતિકારો વિશિષ્ટ ઉપલબ્ધિને ઉત્પન્ન કરનારા જ્ઞાનાત્મક કે અજ્ઞાનાત્મક બધા પદાર્થોને સામાન્યરૂપે પ્રમાણ માને છે. તેમણે કહ્યું છે કે “લિખિત અર્થાત્ દસ્તાવેજ આદિ, સાક્ષી (શાહેદ) અને ભક્તિ અર્થાત અનુભવ એમ ત્રણ પ્રકારનાં પ્રમાણો છે” યાજ્ઞવલ્કક્યસ્મૃતિ, ૨.૨૨]. અન્ય ચિન્તકો પણ બીજાં પ્રમાણો માને છે. એ બધાં પ્રમાણોનાં લક્ષણોનો વિચાર કરતાં જો તેઓ સ્વપરવ્યવસાયી જ્ઞાનરૂપ હોય તો તેમને પ્રમાણ તરીકે સ્વીકારી પ્રત્યક્ષ કે પરોક્ષમાં દાખલ કરી દેવાં અને જો તેઓ સ્વપરવ્યવસાયી જ્ઞાનરૂપ ન હોય તો તેમને પ્રમાણહીન ગણી તેમનું નિરાકરણ કરી દેવું જોઈએ. આમ પ્રમાણની પ્રત્યક્ષ અને પરોક્ષ એમ કહેવાયેલી બેની સંખ્યાનું ઉલ્લંઘન તો ઈન્દ્ર પણ કરી શકતા નથી, તે સર્વતઃ અબાધિત છે. | 320. મથ તયોર્નક્ષUTદfમથીયતેસ્વપ૨વ્યવસાયિ જ્ઞાન , प्रत्यक्षम् । तद् द्विप्रकारम् - सांव्यवहारिकं पारमार्थिकं च । तत्र सांव्यवहारिकं बाह्येन्द्रियादिसामग्रीसापेक्षत्वादपारमार्थिकमस्मदादिप्रत्यक्षम् । पारमार्थिकं त्वात्मसंनिधिमात्रापेक्षमवध्यादिप्रत्यक्षम् । 320. હવે પ્રત્યક્ષ અને પરોક્ષનાં લક્ષણ આદિ કહેવામાં આવે છે. સ્વ અને પરનો નિશ્ચય કરનારું સ્પષ્ટ જ્ઞાન પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષના બે પ્રકાર છે– સાંવ્યવહારિક પ્રત્યક્ષ અને પારમાર્થિક પ્રત્યક્ષ બાહ્ય ચક્ષુ વગેરે ઇન્દ્રિયો આદિ સામગ્રીથી ઉત્પન્ન થતું આપણું સામાન્યજનોનું જ્ઞાન સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે. સિાંવ્યવહારિક પ્રત્યક્ષ એટલે ખરેખર અર્થાત્ પારમાર્થિક કે મુખ્ય પ્રત્યક્ષ નહિ પરંતુ વ્યવહારમાં, લોકોમાં અને તર્કશાસ્ત્રમાં તેને પ્રત્યક્ષ ગણવામાં આવતું હોઈ એ દૃષ્ટિએ તેને ગૌણપણે યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy