SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૪૧ વિષયનું પ્રત્યક્ષ થાય છે. આપણને સાક્ષાત્ પ્રત્યક્ષ તો વિષયસારૂપ્યાં થાય છે, વિષયનું પ્રત્યક્ષ તો સારૂપ્ય દ્વારા જ થાય છે. સૌત્રાન્તિકોનો આવો મત હોવાથી તેમને બાહ્યાર્થાનમેયવાદી ગણવામાં આવે છે. (૬) વિજ્ઞાનવાદ (બૌદ્ધ યોગાચારદર્શન) એક વાર સ્વીકારાયું કે બાહ્ય વિષયનું સાક્ષાત્ પ્રત્યક્ષ થતું નથી પરંતુ તેણે ચિત્ત (જ્ઞાન) ઉપર પાડેલી છાપનું જ પ્રત્યક્ષ થાય છે એટલે વિજ્ઞાનવાદનો માર્ગ મોકળો થઈ ગયો. વિજ્ઞાનવાદે જણાવ્યું કે બાહ્ય વિષય જ નથી, અને જ્ઞાનગત છાપ યા આકર એ બાહ્ય વિષયનો છે એમ કહેવા માટે કોઈ આધાર નથી, તે તો વિજ્ઞાનનો પોતાનો આકાર છે. બાહ્યાર્થવાદી પણ સ્વીકારે છે કે સ્વપ્નમાં બાહ્યાર્થ વિના જ્ઞાનમાં આકાર ઊઠે છે, તો પછી એમ કેમ ન માનવું કે બાહ્યર્થ વિના જ વિજ્ઞાનમાં ભિન્ન ભિન્ન આકારો અનાદિ વાસનાના કારણે ઊઠે છે? વિજ્ઞાનવાદી જ્ઞાનનું સ્વસંવેદન માને છે, અર્થાત જ્યારે જ્ઞાન વસ્તુને જાણે છે ત્યારે તે પોતાને પણ જાણે જ છે. આના આધારે વિજ્ઞાનવાદી બાહ્ય વસ્તુઓનું ખંડન કરે છે. તેની યુક્તિ નીચે પ્રમાણે છે: જ્યારે આપણે પ્રત્યક્ષથી “નીલ”ને દેખીએ છીએ ત્યારે “નીલ' અને એનું “જ્ઞાન” એ બે વસ્તુઓ અલગ અલગ પ્રતીત થતી નથી. એમની કદીય અલગ અલગ પ્રતીતિ ન થતી હોવાથી એ પુરવાર થાય છે કે તે બે એક જ વસ્તુ છે (સોનમનિયમમેવો નીન ), કારણ કે જે બે વસ્તુઓ ભિન્ન હોય છે તેમનું ક્યારેક તો જુદું જ્ઞાન થાય જ. પરંતુ અહીં તો એવું થતું નથી, એટલે તે બન્ને એક જ વસ્ત હોવી જોઈએ અને જ્ઞાનને માન્યા વિના છૂટકો નથી એટલે “નીલાકાર જ્ઞાન' જ યથાર્થ વસ્તુ છે અને નહિ કે નીલ બાહ્યર્થ. વિજ્ઞાનવાદી સમક્ષ એ પ્રશ્ન આવ્યો કે જો બાહ્ય પદાર્થોનું અસ્તિત્વ ન હોય તો આપણાં અનુભવાત્મક પ્રત્યક્ષ જ્ઞાનોમાં “ઘટજ્ઞાન” “પટજ્ઞાન એવો ભેદ કેમ? અર્થાત્ અમુક પ્રત્યક્ષજ્ઞાનનો ઘટાકાર અને અમુકનો પટાકાર કેમ? સ્મરણાત્મક જ્ઞાનોમાં ભેદ તો પૂર્વાનુભવોના ભેદના આધાર પર હોય છે પરંતુ અનુભવાત્મક જ્ઞાનોમાં ભેદ હોવાનું કારણ શું ? માની લઈએ કે જ્ઞાન સ્વભાવથી જ નાના આકારોવાળું થાય છે, એના માટે અન્ય કોઈ નિમિત્તની આવશ્યકતા નથી, તો પણ પ્રશ્ન થાય છે કે સ્મરણાત્મક અને અનુભવાત્મક જ્ઞાનો વચ્ચે અંતર કેમ છે? આપણાં જ્ઞાન બે પ્રકારનાં છે – એક સ્મરણાત્મક અને બીજાં અનુભવાત્મક (પ્રત્યક્ષાત્મક), પ્રત્યક્ષાત્મક જ્ઞાનો વિશદ યા ફુટ હોય છે જ્યારે સ્મરણાત્મક જ્ઞાનો અવિશદ યા અસ્કુટ હોય છે.વળી, સ્મરણાત્મક જ્ઞાનો આપણી ઇચ્છાને અધીન હોય છે જયારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy