SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ४० તર્કરહસ્યદીપિકા એવો હોય છે. આમ પ્રત્યભિજ્ઞાન પૂર્વાનુભૂત વસ્તુ અને વર્તમાનમાં અનુભવાતી વસ્તુ બન્નેની એકતાને ગ્રહણ કરે છે અને પરિણામે તે વસ્તુની સ્થાયિતા સિદ્ધ કરે છે. પરંતુ સૌત્રાન્તિક જણાવે છે કે “આ તે જ છે' એવા આકારનું જ્ઞાન એક નથી પણ પ્રત્યક્ષ અને સ્મરણ બે જ્ઞાનો છે. “આ અંશ ઈન્દ્રિયસન્નિકૃષ્ટ વર્તમાન વિષયને ગ્રહણ કરે છે, જ્યારે તે અંશ પૂર્વાનુભૂત વિષયને ગ્રહણ કરે છે. પ્રત્યક્ષ અને સ્મૃતિથી ભિન્ન પૂર્વાનુભૂત વિષય અને વર્તમાન વિષયની એકતાને ગ્રહણ કરનારું કોઈ જ્ઞાન જ નથી. સૌત્રાન્તિકોએ ક્ષણિકવાદની સ્થાપના સમર્થ રીતે અનેક તર્કો દ્વારા કરી છે. તેમણે ક્ષણિકવાદને તેની ઉત્કૃષ્ટ કોટિએ સ્થાપ્યો છે. સૌત્રાન્તિકો વૈભાષિકોએ માનેલી સભાગતાનું ખંડન કરે છે. તેઓ સામાન્ય જેવી કોઈ બાહ્ય વસ્તુને માનતા નથી. તેઓ વૈભાષિકોને સાચો જ પ્રશ્ન પૂછે છે કે જો યવ, ચોખા વગેરેમાં સભાગતા ન હોવા છતાં તેમના વિશે એકાકાર પ્રતીતિ કે સાદશ્યજ્ઞાન થાય છે તો પછી સત્ત્વોની બાબતમાં સભાગતા માન્યા વિના એકાકાર પ્રતીતિ કેમ ન થઈ શકે ? તેઓ કહે છે કે વૈભાષિકોએ વગર વિચાર્યે સભાગતાના અંચળા હેઠળ વૈશેષિકોનું સામાન્ય સ્વીકાર્યું છે. તેઓ વૈશેષિકોના સામાન્યનું ખંડન કરે છે. સામાન્યના ખંડનમાંથી સૌત્રાન્તિકોનો અપોહવાદ ઉદ્ભવ્યો છે અને વિકસ્યો છે. આ અપોહવાદ અનુસાર ગોત્વ જેવું કોઈ સામાન્ય નથી. જેને ગોત્વ કહેવામાં આવે છે તે તો કેવળ અગોવ્યાવૃત્તિ છે (exclusion of non-cows) છે. આ અગોવ્યાવૃત્તિ બધી ગોવ્યક્તિઓમાં હોવાથી આપણને બધી ગાયોમાં એકાકાર પ્રતીતિ થાય છે. આમ બધી ગાયોમાં જે એક છે તે વિધ્યાત્મક બાહ્ય વસ્તુસત્ સામાન્ય નથી પણ નિષેધાત્મક કાલ્પનિક અગોવ્યાવૃત્તિરૂપ સામાન્ય છે.' સૌત્રાન્તિકો વૈભાષિકની સહભૂહેતુની માન્યતાનું ખંડન કરે છે અને જણાવે છે કે જે બે સહભૂ હોય તેમની વચ્ચે કાર્યકારણભાવ ન હોય, તે બે ખરેખર તો એક કારણમાંથી ઉદ્ભવેલાં બે કાર્યો જ હોય. તેથી સૌત્રાન્તિકો અનુસાર પ્રત્યક્ષજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તેનો વિષય તો નાશ પામી ગયો હોય છે. તો પછી તેને તે વિષયનું પ્રત્યક્ષ કેમ ગણી શકાય? આ પ્રશ્નનો ઉત્તર આપતી વેળા સૌત્રાન્તિકો સારૂપ્યની માન્યતાનો આશરો લે છે. તેઓ કહે છે કે ઇન્દ્રિયો દ્વારા વિષય પ્રથમ ક્ષણે જ્ઞાનક્ષણ ઉપર પોતાની છાપ (સારૂપ્ય) પાડે છે, આ છાપ ઉત્તર જ્ઞાનક્ષણમાં સંક્રાન્ત થાય છે અને આ છાપ દ્વારા આ જ્ઞાનક્ષણ વિષયનું પ્રત્યક્ષ કરે છે. આમ સૌત્રાન્તિક અનુસાર આપણને વિષયનું સાક્ષાત્ પ્રત્યક્ષ થતું નથી પરંતુ જ્ઞાનગત વિષયના સારૂપ્ય દ્વારા ૧. પ્રમાણવાર્તિક, ૩.૪૦ અને ૩.૬૭-૬૯. ૨. છુટાથ, ૨.૫૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy