SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ તર્કરહસ્યદીપિકા દેવામાં આવે ત્યારે તેમના કાર્યભૂત શરીરાદિના ટકવાથી આત્માને થતાં સુખ અને દુઃખ તો આપોઆપ જ સમાપ્ત થઈ જાય, ન તો તેઓ આગળ ઉત્પન્ન થશે કે ન વિદ્યમાન રહેશે. અર્થાત્ ધર્મ અને અધર્મનો નાશ થતાં તેમનાં કાર્યો શરીરાદિનો નાશ થઈ જાય અને શરીરાદિનો નાશ થતાં શરીરાદિ દ્વારા આત્માને થતાં સુખ-દુ:ખ પણ સમાપ્ત થઈ જાય.] આ રીતે સુખ અને દુઃખનો અભાવ થઈ જતાં આત્મા મુક્ત થયો કહેવાય છે. “તે મુક્તાવસ્થામાં આત્મા કેવો હોય છે?' આ પ્રશ્નનો સીધો ઉત્તર એ છે કે “મોક્ષમાં આત્મા તમામ જ્ઞાન, સુખ આદિ પોતાના વિશેષ ગુણોથી રહિત બનીને પોતાના શુદ્ધ સ્વરૂપમાત્રમાં જ પ્રતિષ્ઠિત – લીન થઈ જાય છે. તેનું તે શુદ્ધ સ્વરૂપ છે ઊર્મિઓથી – કામ, ક્રોધ, મદ, ગર્વ, લોભ, દંભથી - પર યા રહિત છે એમ વિદ્વાનો કહે છે. વળી, તે શુદ્ધ સ્વરૂપ સંસારનાં બન્ધનોથી પેદા થનારાં દુઃખ, ક્લેશ આદિથી લેશમાત્ર પણ દૂષિત નથી.” [ન્યાયમંજરી, પ્રમેયભાગ પૃ. 9. “શરીરધારી આત્માને પ્રિય (સુખ) અને અપ્રિય (દુઃખ)નો અભાવ નથી હોતો અર્થાત તેને સુખયા દુઃખ હોય છે જ, પરંતુ અશરીરી આત્માને પ્રિય અને અપ્રિય (સુખ અને દુઃખ) સ્પર્શતાં પણ નથી અર્થાત્ તે તેમનાથી પર છે." [છાન્દોગ્ય ઉપનિષદ્, ૮.૧૨.૧.]. ર્નિયાયિકો પોતાના પક્ષના સમર્થનમાં છાન્દોગ્ય ઉપનિષદ્દા આ વાક્યને ઉદ્ધત કરે છે.] 257. ચતઃ શિમરપામવા મવમવન મુલ્લાન मुक्तौ निषिध्यमानानि सन्न्युत सर्वथा तदभावः । आद्ये सिद्धसाधनम् । द्वितीयोऽसिद्धः आत्मनः सुखस्वरूपत्वात् । न च पदार्थानां स्वरूपमत्यन्तमुच्छिद्यते, अतिप्रसङ्गात् । न च सुखस्वभावत्वमेवासिद्धं, तत्सद्भावे प्रमाणसद्भावात् । तथाहि-आत्मा सुखस्वभावः, अत्यन्तप्रियबुद्धिविषयत्वात् अनन्यपरतयोपादीयमानत्वाच्च, वैषयिकसुखवत् । यथा सुखार्थों मुमुक्षुप्रयत्नः, प्रेक्षापूर्वकारिप्रयत्नत्वात्, कृषीवलप्रयत्नवदिति । तच्च सुखं मुक्तौ परमातिशयप्राप्तं, सा चास्यानुमानात्प्रसिद्धा यथा, सुखतारतम्यं वचिद्विश्रान्तं, तरतमशब्दवाच्यत्वात्, परिमाणतारतम्यवत् । तथा "आनन्दं ब्रह्मणो रूपं तच्च मोक्षेऽभिव्यज्यते । यदा दृष्ट्वा परं ब्रह्म सर्वं त्यजति बन्धनम् ॥१॥ तदा तन्नित्यमानन्दं मुक्तः स्वात्मनि विन्दति ।" इति श्रुतिसद्भावात् । तथा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy