SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ४०८ તર્કરહસ્યદીપિકા 246. જૈન ઉત્તર– બાધિત થતી વસ્તુઓના બે પ્રકાર છે – એક તો સ્વાભાવિક અને બીજી સહકારી કારણોથી ઉત્પન્ન થનારી અર્થાત્ આગન્તુક જેમ કે વિકારો. જે સ્વાભાવિક ધર્મો છે તેમનો સમૂલ નાશ પ્રતિપક્ષનો (બાધકનો) અ , ઉત્કર્ષ થવા છતાં કયારેય થતો નથી. જ્ઞાન આત્માનો સ્વાભાવિક ધર્મ છે, તેથી જ્ઞાનાવરણીયકર્મનો ગમે તેટલો તીવ્ર ઉદય કેમ ન હોય પણ તેનાથી જ્ઞાનનો જડમૂળથી નાશ થઈ શકતો નથી. જો જ્ઞાનનો સમૂળ નાશ થઈ જાય તો તે સમયે આત્માનો પણ નાશ નિયમથી અવશ્ય થઈ જાય, તેનું અસ્તિત્વ જ ન રહે. આત્મા પરિણમનશીલ હોવા છતાં પણ દ્રવ્યરૂપે નિત્ય છે, તેથી જ્ઞાનાવરણીયકર્મના કારણે જ્ઞાનમાં ન્યૂનાધિકતારૂપ પરિવર્તન થવા છતાં પણ દ્રવ્યના મૂલ સ્વભાવરૂપ જ્ઞાનનો સમૂલ નાશ કદી થતો નથી. આત્માની નિત્યતાનું તાત્પર્ય એ છે કે તે ક્યારેય પણ જ્ઞાનસ્વરૂપમાંથી અજ્ઞાનસ્વરૂપમાં પરિવર્તિત થતો નથી. રાગ આદિ વાસનાઓ તો લોભ આદિ કર્મોના ઉદયથી ઉત્પન્ન થતા વિકારો છે, આગન્તુક છે, સ્વાભાવિક નથી. તેથી લોભાદિકર્મોનો સમૂલ નાશ થતાં તેમનો સમૂલ નાશ આપોઆપ જ થઈ જશે. અનુમાનપ્રયોગ– વિકારો સહકારીઓથી ઉત્પન્ન થાય છે અર્થાત આગન્તુક છે, સ્વાભાવિક નથી, તેથી તેઓ જે પ્રતિપક્ષભાવનાથી ઓછા થાય છે યા મન્દ પડે છે તે પ્રતિપક્ષભાવનાની અત્યન્ત વૃદ્ધિ થતાં સમૂલ નાશ પામી જાય છે. જેમ ઠંડીથી થનારો રોમાંચ પ્રતિપક્ષ અગ્નિ પૂરેપૂરો સળગતાં સર્વથા નાશ પામી જાય છે તેમ વૈરાગ્યાદિપ્રતિપક્ષભાવનાઓથી મન્દ પડનારા અને સહકારી કર્મોથી ઉત્પન્ન થનારા રાગાદિ વિકારભાવો પણ વૈરાગ્યાદિપ્રતિપક્ષભાવનાઓની અત્યન્ત વૃદ્ધિ થતાં સમૂલ નાશ પામી જવા જોઈએ જ. આ અનુમાનપ્રયોગમાં “સહકારિસંપાદ્ય' (=“સહકારી કારણોથી ઉત્પન્ન થનાર, આગન્તુક, સ્વાભાવિક નહિ) એ વિશેષણ આત્માના સદા સ્થાયી સ્વાભાવિક જ્ઞાન આદિ ધર્મોનો વ્યવરચ્છેદ કરવા માટે છે. વળી, તમે પહેલાં જે પ્રમાણ (નિયમ) આપ્યું છે કે “જે અનાદિ હોય તેનો નાશ થાય નહિ તે જ અપ્રમાણ છે, અસત્ય છે, ખોટું છે કેમ કે પ્રાગભાવ અનાદિ છે પરંતુ તેનો નાશ થાય છે. જો પ્રાગભાવનો નાશ ન થાય તો કાર્યની ઉત્પત્તિ જ શક્ય ન બને. આમ આ નિયમરૂપ તમે આપેલો હેતુ પ્રાગભાવ સાથે વ્યભિચારી છે. વળી ખાણમાંથી નીકળેલા અશુદ્ધ સુવર્ણમાં સુવર્ણ અને ઉપલ(પથ્થર)નો જે સંયોગ હોય છે તે સંયોગ સાથે પણ આ નિયમરૂપ તમે આપેલો હેતુ વ્યભિચારી છે. જે અશુદ્ધ સુવર્ણ અનાદિકાળથી ખાણમાં પડ્યું હતું તેને આજે ખાણમાંથી કાઢ્યું. તેની સાથે પથ્થરનો સંયોગ પણ અનાદિકાળથી રહ્યો છે, પરંતુ અમુક ક્ષાર સાથે મૂસમાં તેને બરાબર તપાવવામાં આવે છે ત્યારે પથ્થર સાથેનો અનાદિકાળથી ચાલ્યો આવતો સંયોગ પણ સમાપ્ત થઈ જાય છે અને સુવર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy