SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ मन्तश्च रागादय इति चेत् । 243. શંકા— અહીં કોઈ જણાવે છે કે ‘દેહ તો ઉત્પન્ન થાય છે, એટલે તે સાદિ છે, તેથી મોક્ષ અવસ્થામાં તેના અત્યન્તિક નાશની વાત તો સમજાય છે કેમ કે જે ઘટ આદિ ઉત્પન્ન થાય છે તેમનો એક દિવસ અવશ્ય નાશ થાય છે. પરંતુ રાગ આદિ અનાદિકાલીન વાસનાઓનો અત્યન્ત વિનાશ બુદ્ધિગમ્ય નથી, અસંભવ છે. અનાદિ વસ્તુનો વિનાશ તો પ્રમાણબાધિત છે. જે અનાદિ હોય, જે કદી ઉત્પન્ન જ થયું ન હોય તેનો નાશ નથી, અન્ત નથી. આ રાગ આદિ ભાવો પણ આત્મામાં અનાદિ કાળથી છે. એટલે આવી અનાદિ અનુત્પન્ન ચીજોનો નાશ માનવો એ ન તો તર્કસંગત છે કે ન તો ઉચિત છે.’ તર્કરહસ્યદીપિકા 244. —તે, યદ્યપિ રામાયો રોષા બન્નોરનાવિમન્ત:-તથાપિ कस्यचिद्यथावस्थितस्त्रीशरीरादिवस्तुतत्त्वावगमेन तेषां रागादीनां प्रतिपक्षभावनातः प्रतिक्षणमपचयो दृश्यते । ततः संभाव्यते विशिष्टकालादिसामग्रीसद्भावे भावनाप्रकर्षतो निर्मूलमपि क्षयः, निर्मूलक्षयानभ्युपगमेऽपचयस्याप्यसिद्धेः । यथा हि- शीतस्पर्शसंपाद्या रोमहर्षादयः शीतप्रतिपक्षस्य वह्नेर्मन्दतायां मन्दा उपलब्धा उत्कर्षे च निरन्वयविनाशिनः । एवमन्यत्रापि मन्दतासद्भावे निरन्वयविनाशोऽवश्यमेष्टव्यः । 244. જૈન ઉત્તર જો કે રાગ આદિ દોષ અનાદિકાળથી આત્મા સાથે સમ્બદ્ધ છે તેમ છતાં પ્રતિપક્ષ ભાવનાઓથી અર્થાત્ વૈરાગ્યાદિભાવનાઓથી તેમનો નાશ થાય છે. ઉદાહરણાર્થ, કોઈ સ્ત્રીમાં અત્યન્ત આસક્ત કામી પુરુષ જ્યારે સ્ત્રીના શરીરને તેના વાસ્તવિક રૂપમાં મળ, મૂત્ર, હાડ, માંસ, રક્ત આદિની ગાંસડી સમજી જાય છે ત્યારે તેના રાગનો સ્રોત એટલો બધો સૂકાઈ જાય છે કે તે તે સ્ત્રીને નજર માંડી જોવા પણ ઇચ્છતો નથી. જ્યારે આપણે પ્રતિપક્ષભાવનાઓથી રાગ આદિનો ક્રમશઃ ઘટાડો થતો જોઈએ છીએ ત્યારે વિશિષ્ટ સમય, અભ્યાસ આદિ સામગ્રી ભેગી થતાં પ્રતિપક્ષભાવનાઓ અર્થાત્ વૈરાગ્યાદિભાવનાઓ વધતાં વધતાં પૂરેપૂરી વૃદ્ધિ પામીને અવશ્યપણે રાગાદિનો સમૂલ ઉચ્છેદ કરી જ નાખે. જો પ્રતિપક્ષભાવનાઓ પોતાની ઉત્કૃષ્ટ કોટિએ પહોંચીને પણ રાગાદિને સાવ સમૂલ નષ્ટ કરી શકતી ન હોય તો તે પ્રતિપક્ષભાવના વધુ ને વધુ દૃઢ બનતાં રાગાદિનો વધુ ને વધુ ઘટાડો ન થવો જોઈએ. જેવી રીતે કડકડતી ઠંડીથી ઠરી ગયેલા શરીરમાં થયેલો રોમાંચ (ખડાં થઈ ગયેલા રૂંવાડાં) ઠંડીની વિરોધી આગ મન્દ મન્દ સળગવાથી ઓછો થઈ જાય છે અને તે આગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy