SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ તર્કરહસ્યદીપિકા સંસાર ગતિશીલ છે, તો બીજી બાજુ “નિરોધ' ગતિહીનતાનું નામ છે. અર્થાત્ “નિરોધ' ગતિથી ઊલટી “શાન્ત” અવસ્થા છે. આ રીતે થેરવાદી બૌદ્ધદર્શનના મૂળ સિદ્ધાન્ત ત્રણ કહી શકાય. (૧) સર્વનિત્ય- બધું અનિત્ય છે, ક્ષણિક છે. (૨) સર્વનાત્મન્ – સ્થિર દ્રવ્ય જેવી કોઈ ચીજ નથી. . (૩) નિવાં શામ્-નિર્વાણ શાન્ત છે. થેરવાદીઓના મતે પ્રત્યક્ષનો વિચાર કરીએ. પ્રત્યક્ષનો અર્થ છે ઇન્દ્રિય દ્વારા વર્તમાન વિષયનું જ્ઞાન. પરંતુ ક્ષણિકવાદમાં જ્યારે વિષયનું જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે વિષય તો નાશ પામ્યો હોય છે. જ્યારે વિષય હોય છે ત્યારે તેનું જ્ઞાન નથી હોતું અને જયારે તેનું જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે વિષય નથી હોતો. આમ ક્ષણિકવાદમાં પ્રત્યક્ષ અશક્ય બની જાય છે. આ અશક્યતાના નિવારણ માટે થેરવાદીઓ ક્ષણિકવાદનો અંશતઃ ત્યાગ કરે છે. તેઓ સત્તર ચિત્તક્ષણોને (mind-moments) એક રૂપધર્મનું (matter-momentનું) આયુ ગણે છે. અર્થાત્ ચિત્તક્ષણ કરતાં રૂપધર્મની (બાહ્ય ભૌતિક વસ્તુની) ક્ષણ વધુ વિસ્તૃત છે. આના પરિણામે પોતાનું જ્ઞાન થાય ત્યાં સુધી વસ્તુનું ટકવું સંભવે છે. ચિત્તક્ષણ અને રૂપક્ષણના બે ભિન્ન ધોરણો સ્વીકારી થેરવાદીઓ બાહ્ય વિષયના પ્રત્યક્ષને શક્ય બનાવે છે. (૪) સર્વાસ્તિવાદ (બૌદ્ધ વિભાષિકદર્શન) ધર્મ(વસ્તુ) ક્ષણિક છે એ થેરવાદી સિદ્ધાન્ત આપણે જોયો. સર્વાસ્તિવાદીનું કહેવું છે કે ધર્મમાં “ધર્મસ્વભાવ” અને “ધર્મલક્ષણ” બે પાસાં છે. ધર્મસ્વભાવ સર્વદા અર્થાત્ ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળમાં અસ્તિત્વ ધરાવે છે. પરંતુ ધર્મલક્ષણ' જ ક્ષણ છે. તે જ ક્ષણિક છે. તેનું કારણ એ છે કે તે ધર્મનો ક્રિયાકારી બાહ્ય દશ્યમાન રૂપમાં પ્રાદુર્ભાવ છે. ધર્મસ્વભાવ' ત્રણેય કાળ અસ્તિત્વ ધરાવતો હોવા છતાં તે નિત્ય નથી, કારણ કે “નિત્યતા'નો અર્થ છે પરિવર્તનનો સાવ અભાવ પરંતુ ધર્મસ્વભાવ' તો કોઈ ધર્મના ભવિષ્યકાલીન બાહ્ય અસ્તિત્વની સંભાવનાનો દ્યોતક છે અને વળી ભૂતકાલીન અસ્તિત્વનો પણ દ્યોતક છે. આ રીતે “ધર્મસ્વભાવ' નિત્ય ન હોવા છતાં સર્વદા અસ્તિત્વ ધરાવે છે. સર્વાસ્તિવાદનો આ સિદ્ધાન્ત અને તેનું ઉપર્યુક્ત સમાધાન બૌદ્ધધર્મદર્શનના સામાન્ય ક્ષણિકવાદ સાથે કેટલું સંગત છે, એ એક પ્રશ્ન છે. ૧, તન સત્તા વિરક્ષણન ધમ્પનું આ અભિધમ્મFસંગહો, ૪.૮. 2. Central Conception of Buddhism (Th. Stcherbatsky), 4. 34-3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy