SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ તર્કરહસ્યદીપિકા દ્રવ્યનો ધર્મ ન હોય, તે તો બવ દ્રવ્યોનો ધર્મ હોય. તેવી જ રીતે અવગાહ પણ આકાશ અને પુદ્ગલાદિ બન્નેનો જ ધર્મ છે, તો પછી તેને કેવળ આકાશનો જ ધર્મ કેવી રીતે ગણી શકાય? જૈન ઉત્તર-તમારી વાત સાચી છે. જો કે અવગાહમાં આકાશની જેમ પુદ્ગલાદિ પણ નિમિત્ત છે તેમ છતાં આકાશ અવકાશ દેનારું છે, તેથી દાતા આકાશ પ્રધાન છે તથા અવકાશ માંગનાર યા પ્રાપ્ત કરનાર પુદ્ગલાદિ ગૌણ છે. આકાશમાં અવગાહ (રહેવાનું) મળે છે, પુદ્ગલ આદિ આકાશમાં ઘુસીને રહે છે, તેથી આકાશ તો અવગાહ્ય (જેમાં અવગાહ મળે છે) છે અને પુદ્ગલ આદિ અવગાહ પ્રાપ્ત કરતા હોવાના કારણે અવગાહક (અવગાહ પ્રાપ્ત કરનાર) છે. તેથી અવગાહ ગુણ અવકાશ દેનારા પ્રધાનભૂત આકાશનો જ ગુણ મનાયો છે, અવકાશ પ્રાપ્ત કરનારા અપ્રધાનભૂત પુગલ આદિનો ગુણ મનાયો નથી. આ રીતે આકાશ જ અવગાહ દેવામાં અસાધારણ કારણ હોવાથી અવગાહ્ય હોવાથી પુદગલાદિનો ઉપકાર કરે છે. બીજા કોઈ દ્રવ્યમાં ન મળતા પોતાના આ અસાધારણ ધર્મ દ્વારા અતીન્દ્રિય (ઇન્ડિયાગ્રાહ્ય) આકાશનું અનુમાન થાય છે. આત્મા યા ધર્મ આદિ અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ પણ આ રીતે તેમના અસાધારણ ધર્મો યા કાર્યો દ્વારા જ અનુમાનથી કરવામાં આવે છે. જેવી રીતે નગારું વગાડવામાં નગારાની સાથે સાથે જ વગાડનાર પુરુષ, તેનો હાથ, દંડો, દંડાનો નગારા સાથે સંયોગ વગેરે અનેક કારણો હોય છે પરંતુ તે બધાં કારણોથી ઉત્પન્ન થનારો શબ્દ કહેવાય છે તો નગારાનો, હાથ કે દંડાનો નથી કહેવાતો કેમ કે નગારું પ્રધાન કારણ છે, તથા જેવી રીતે જવના અંકુરમાં જવની સાથે સાથે જ ભૂમિ, જલ, ખાતર આદિ અનેક કારણો હોય છે પરંતુ તે બધાં કારણોથી ઉત્પન્ન થનારો અંકુર કહેવાય છે યવનો, ભૂમિ કે જલનો નથી કહેવાતો, કેમ કે યવ પ્રધાન કારણ છે તેવી જ રીતે અવગાહમાં આકાશ સાથે ભલે પુદ્ગલ આદિ કારણો હોય પરંતુ પ્રધાન યા અસાધારણ કારણ તો આકાશ જ છે, તેથી અવગાહ અસાધારણ કારણરૂપે આકાશને ધર્મ છે એમ સમજવું જોઈએ. (204. વૈષવાસ્તુ શનિમાલાશ આંજરને, ગુન ગુમાવેન व्यवस्थानादिति तदयुक्तम्; रूपादिमत्त्वाच्छब्दस्य, रूपादिमत्ता च प्रतिघाताभिभवाभ्यां विनिश्चेया । 204. વૈશેષિક ચિત્તકો શબ્દને આકાશનો ગુણ માનીને શબ્દ લિંગ દ્વારા આકાશનું અનુમાન કરે છે. તેઓ શબ્દને ગુણ અને આકાશને ગુણી કહીને તેમનામાં ગુણગુણીભાવ સ્થાપે છે. તેમની માન્યતા મુક્તિ અને અનુભવ બન્ને વિરુદ્ધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy