SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ તર્કરહસ્યદીપિકા તેઓ કોઈ દ્રવ્યમાં ગતિ કે સ્થિતિ પેદા કરતા નથી. તેઓ ગતિ કે સ્થિતિનાં નિર્વર્તક કારણો નથી પણ કેવળ અપેક્ષા કારણો છે. ઉદાહરણોથી સમજીએ. અમુક સ્થાનમાં સદાવ્રત યા અન્નક્ષેત્ર હોવાથી ભિક્ષા મળવાનો પૂરેપૂરો સુયોગ રહે છે, એટલે ભિક્ષુકો ત્યાં જઈ વસે છે અને કહે છે કે “ભિક્ષા અમને વસાવી રહી છે. તો શું અન્નક્ષેત્ર કે તેમાંથી મળતી ભિક્ષા તે ભિક્ષુકોને બળજબરીથી પકડીને ત્યાં વસાવી રહી છે? વસનારા તો સ્વયં ભિક્ષુકો છે, તેઓ પોતે જાતે વસે છે, ભિક્ષા તો તેમના વસવામાં નિમિત્ત માત્ર છે. કોઈ વિદ્યાર્થી રાતે લાકડાની આગના ઝાંખા પ્રકાશમાં પુસ્તક વાંચે છે. તે સહજભાવે કહે છે કે અમને તો કાષ્ઠાગ્નિ વંચાવે છે, પઠન કરાવે છે. તો શું કાષ્ઠાગ્નિ બળજબરીથી તે વિદ્યાર્થીને ઊંઘમાંથી જગડી પુસ્તક હાથમાં પકડાવી વંચાવે છે, પઠન કરાવે છે? વિદ્યાર્થી તો પોતાની મેળે પોતાની રુચિથી જ વાંચે છે, કાષ્ઠાગ્નિનો ઝાંખો પ્રકાશ તો પુસ્તકના અક્ષરો વાંચવામાં સહાયતામાત્ર કરે છે. ___ 201. ननु तवापि लोकव्यापिधर्माधर्मद्रव्यास्तित्ववादिनः संज्ञामात्रमेव 'तदुपकारौ गतिस्थित्युपग्रहौ' इति । अत्र जागद्यते युक्तिः, अवधत्तां भवान्। गतिस्थिती ये जीवानां पुद्गलानां च ते स्वतः परिणामाविर्भावात् परिणामिकर्तृनिमित्तकारणत्रयव्यतिरिक्तोदासीनकारणान्तरसापेक्षात्मलाभे, अस्वाभाविकपर्यायत्वे सति कदाचिद्भावात्, उदासीनकारणपानीयापेक्षात्मलाभझषगतिवत् । इति धर्माधर्मयोः सिद्धिः । 201. શંકા-તમે જૈનોએ લોકવ્યાપી ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્યને માનવામાં કોઈ તર્ક આપ્યો નથી. વળી, તમે તેમને ગતિ અને સ્થિતિમાં સહાયતા કરનાર ઉપકારક ગણ્યાં છે તે પણ સંજ્ઞામાત્ર અર્થાત્ કથનમાત્ર છે, તર્કશૂન્ય છે. - જૈન ઉત્તર- ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્યની સિદ્ધિમાં અમે યુક્તિઓ આપીએ છીએ, તમે ધ્યાન દઈને સાંભળો. જીવો અને પુદ્ગલોની સ્વતઃ થનારી ગતિ અને સ્થિતિ પોતાની ઉત્પત્તિમાં પરિણામી (ઉપાદાન), કર્તા (નિર્વક) અને નિમિત્ત એ ત્રણ જાતનાં કારણો ઉપરાંત કોઈ ચોથા જ પ્રકારના ઉદાસીન કારણની અપેક્ષા રાખે છે, કેમ કે તે ગતિ અને સ્થિતિ સ્વાભાવિક પર્યાયો નથી, તેથી તે કાદાચિત્ક પર્યાયો છે અર્થાત ક્યારેક હોય છે અને ક્યારેક નથી હોતા. જેમ સ્વતઃ ગતિ કરનારી માછલીની ગતિ જલરૂપી ઉદાસીન કારણની અપેક્ષા રાખ્યા વિના થતી નથી એટલે તે જલની અપેક્ષા રાખે છે તેમ જીવો અને પુદ્ગલોની સ્વતઃ થતી ગતિ અને સ્થિતિ પણ ધર્મદ્રવ્યરૂપ અને અધર્મદ્રવ્યરૂપ ઉદાસીન કારણની અપેક્ષા રાખ્યા વિના થતી નથી એટલે ગતિ અને સ્થિતિ ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્યની અપેક્ષા રાખે છે જ. આ સમર્થ યુક્તિથી ઘર્મદ્રવ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy