SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ તર્કરહસ્યદીપિકા આદિ નિમિત્તકારણો શુદ્ધ નિમિત્તકારણો છે. પરંતુ જે નિમિત્તકારણોમાં એક માત્ર સ્વાભાવિક જ ક્રિયા હોય અને કર્ણપ્રયુક્ત ક્રિયાની સંભાવના જ ન હોય તેવાં નિમિત્તકારણો અપેક્ષા નિમિત્તકારણો કે અપેક્ષાકારણો કહેવાય છે. ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોમાં કેવળ સ્વાભાવિક પરિણમનક્રિયા જ થાય છે, તેમનામાં કર્તપ્રયુક્ત ક્રિયા સંભવતી જ નથી, તેથી તેઓ નિમિત્તકારણો તો છે પણ અપેક્ષા નિમિત્તકારણો યા અપેક્ષા કારણો છે. તેમનામાં કેવળ સ્વાભાવિક પરિણમનરૂપ ક્રિયા હોવાની વિશેષતા છે એટલે તેમને અપેક્ષાકારણ કહેવામાં આવે છે. 174. વિદ્રવ્યથી પરિણામમપેક્ષા નીવાતિ અત્યાદિक्रियापरिणतिं पुष्णातीति कृत्वा ततोऽत्र धर्मोऽपेक्षाकारणम् । एवमधर्मोऽपि लोकव्यापितादिसकलविशेषणविशिष्टो धर्मवनिर्विशेषं मन्तव्यः, नवरं स्थित्युपग्रहकारी स्वत एव स्थितिपरिणतानां जीवपुद्गलानां स्थितिविषये अपेक्षाकारणं वक्तव्यः । 174. ધર્મદ્રવ્યમાં થતી રહેતી સ્વાભાવિક પરિણમનક્રિયાની અપેક્ષા રાખીને જ સ્વતઃ ગતિ કરનાર જીવ આદિ દ્રવ્યો પોતાની ગતિને પુષ્ટ કરે છે. સ્વયં ગતિ કરનારા જીવ આદિ દ્રવ્યોની ગતિમાં ધર્મદ્રવ્યની તટસ્થભાવે અપેક્ષા રહે છે, તેથી ધર્મદ્રવ્ય જીવાદિની ગતિમાં અપેક્ષાકારણ કહેવાય છે. ધર્મદ્રવ્યની જેમ અધર્મદ્રવ્ય પણ લોકવ્યાપી, અમૂર્ત, નિત્ય, અવસ્થિત વગેરે વિશેષણોવાળું છે પરંતુ ધર્મદ્રવ્ય ગતિમાં અપેક્ષાકારણ છે જ્યારે અધર્મદ્રવ્ય સ્થિતિમાં –અટકીને સ્થિર રહેવામાં અપેક્ષાકારણ છે. સ્વયં સ્થિતિ કરનારા જીવો અને પુદગલો સ્થિર થવામાં અને સ્થિર રહેવામાં અધર્મદ્રવ્યની અપેક્ષા રાખે છે. અધર્મદ્રવ્ય તટસ્થભાવે તેમની સ્થિતિમાં સહાયક બને છે પરંતુ તેમને સ્થિતિ કરવામાં પ્રેરણા કરતું નથી. તેઓ સ્થિતિ કરે છે તો તે તેમને મદદ કરે છે. 175. પ્રવીવાર નોવેત્નો વ્યાપમનાપ્રરેશ નિત્યવસ્થિतमरूपिद्रव्यमस्तिकायोऽवगाहोपकारकं च वक्तव्यं, नवरं लोकालोकव्याપમિતિ .. 175. આકાશદ્રવ્ય પણ ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્યની જેમ નિત્ય, અવસ્થિત, અમૂર્ત તથા અસ્તિકાય (બહુપ્રદેશી) છે. તેનામાં એટલી વિશેષતા અવશ્ય છે કે તે અનન્ત પ્રદેશોવાળું છે તથા લોક અને અલોક બન્નેમાં વ્યાપ્ત છે અથ સર્વત્ર વ્યાપ્ત છે, બીજું કોઈ દ્રવ્ય લોક અને અલોક બન્નેમાં વ્યાપ્ત નથી. એનો અર્થ એ કે તેનાથી મોટું યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy